માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોડિનાર તાલુકામાં રોડ પર પેચવર્કની કામગીરી
ગીર સોમનાથ : સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે અસરગ્રસ્ત રોડ-રસ્તાના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પેચવર્ક, રસ્તાઓના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
ગીર સોમનાથ : સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે અસરગ્રસ્ત રોડ-રસ્તાના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પેચવર્ક, રસ્તાઓના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
ગીર સોમનાથ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કોડિનાર તાલુકાના જુદા જુદા વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોડિનાર તાલુકાના વડનગર-કંટાળા રોડ પર તેમજ અરણેજ-સાંઢણીધાર, પાવટી પરના અસરગ્રસ્ત રસ્તાઓના રીપેરીંગની કામગીરી થઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટલવર્ક અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. આમ, વરસાદના વિરામ બાદ નાના-મોટા માર્ગોનું મરામત કામ વહેલીતકે પૂર્ણ કરવા વહીવટી તંત્રએ પ્રતિબદ્ધતા દાખવી છે.
સમાન સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ. ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.