નાંદોદના નીકોલી ગામની સીમમાં ફરતા દીપડા પૈકી એક દીપડો ગત રાત્રે ગામમાં આવી પડતાં લોકોમાં ભય
નિકોલી ગામની સીમમાં ગઈ રાત્રે એક કદાવર દિપડો ખેતર માર્ગે ગામમાં ઘુસતા ગ્રામજનો આ નજારો જોઈ ફફડી ઊઠયા હતા.
રાજપીપળા : નાંદોદ તાલુકામાં આવેલા નિકોલી ગામની સીમમાં ઘણા સમયથી ત્રણેક દીપડા ફરી રહ્યા છે અને ત્યાં ફરતા ડુક્કરોને ફાડી ખાઈ પોતાનું પેટ ભરે છે જેના કારણે એકપણ દીપડો ખોરાકની શોધમાં ગામમાં આવ્યો ન હતો પરંતુ ગઈ રાત્રે એક કદાવર દિપડો ખેતર માર્ગે ગામમાં ઘુસતા ગ્રામજનો આ નજારો જોઈ ફફડી ઊઠયા હતા, જોકે આ દીપડાએ ગામમાં કોઈ પશુ કે વ્યક્તિને ઇજા કે નુકશાન કર્યું નથી છતાં આ જંગલી જાનવર ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે.
ગામના અજયભાઈ પટેલના જણાવ્યા મુજબ ઉનાળાની ઋતું વખતથી ગામની સીમમાં ત્રણેક દીપડા ફરે છે અને ગઇકાલે રાત્રે એક દીપડો ગામમાં આવી ગયો હતો જેથી લોકોમાં ભય ફેલાયો છે, ગ્રામજનોએ હાલમાં ગામમાં આવેલા વન વિભાગના સ્ટાફને જાણ કરી હતી પરંતુ હવે ગામમાં દીપડો ઘુસી જતા અમે વન વિભાગમાં લેખિત જાણ કરી પાંજરું મુકાવિશું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.