નર્મદા ડેમમાંથી પાણી છોડતા થયેલ નુકશાનનું ૧૦૦ ટકા વળતર ચૂકવવા નર્મદા પુર અસરગ્રસ્તોનું કલેકટરને આવેદન
ખેડૂતોએ ભારે આક્રોશ સાથે સો ટકા રાહત પેકેજની માંગણી કરી નર્મદા નદીમાં આવેલું પૂર માનવસર્જિત હોવાનું જણાવ્યું હતું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : 16 સપ્ટેમ્બર ની સાંજથી નર્મદા ડેમમાંથી 20 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા કાઠા નાં ગામોની માઠી દશા થઈ હતી પૂરના પાણીમાં ખેતીના પાકને પણ ખૂબ નુકસાન થયું હોતું જેથી ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ તે અપૂરતું હોવાનું જણાવી ખેડૂતો એ 100 % રાહતની માંગ કરતું આવેદનપત્ર નર્મદા કલેકટરને આપ્યું છે
નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 20 લાખ ક્યુસેક પાણીથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લામાં ભારે તારાજી થઈ છે ખેડૂતોના ખેતરમાં પૂરનું પાણી ભરાતા ઉભા પાકો નષ્ટ થઈ ગયા હતા અને ભારે હોબાળા બાદ સરકારે જાહેર કરેલ રાહત પેકેજ ખૂબ જ ઓછું હોવાનું નર્મદા જિલ્લાના ખેડૂતો જણાવી સરકાર પાસે સો ટકા રાહત પેકેજની માંગણી કરતું આવેદન જિલ્લા કલેકટરને પાઠવ્યું છે, નર્મદા જિલ્લાના ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ રાહત પેકેજથી ખેડૂત બેઠો નહિ થઈ શકે, અને સરકાર દ્વારા 33 % ની અને 2 હેક્ટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મજાક ઉડાડી હોવાનું કહી, ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે જેના પગલે ખેડૂતોએ સો ટકા રાહત પેકેજની માંગણી સાથે નર્મદા નદીમાં આવેલું પૂર માનવસર્જિત હોવાનું જણાવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા મુજબ પ્રતિ એકર 2 લાખ 13 હજાર પ્રમાણે સો ટકા રાહત ચુકવણી થાય ખેડૂતોને આપેલ ક્રોપ લોન માફ કરવામાં આવે ખેડૂતોને પાંચ લાખની વગર વ્યાજની લોન આપવામાં આવે અને તેનું ચુકવણું પહેલા વર્ષમાં 50% અને બીજા વર્ષમાં 50% કરવામાં આવે, નર્મદા જિલ્લાના ખેડૂતોને વારંવાર પૂર હોનારત નુકસાન વેઠવું ન પડે તે માટે નર્મદા ઓથોરિટીએ બાંહેધરી આપવી, કેળાના પાક માટે ખેડૂતોને યોગ્ય બજાર ભાવ મળે તેવી બાંધરી આપવી, જે ખેત મજૂરોના કાચા મકાનો પડીને નાશ પામ્યા છે તેમને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે, 17 સપ્ટેમ્બરને કાળો દિવસ જાહેર કરવામાં આવે, નુકસાન પામેલા તમામ ખેડૂતોને ત્રણ લાખ સુધીનું બેંકનું દેવું માફ કરવા તેમજ નવા પાક ઉભો કરવા જમીન સુધારવા તથા ખેતરોની સાફ-સફાઈ કરવા એકર દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માંગ કરી મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.