ડાંગ જિલ્લામાં સોશ્યલ મીડિયામાં હિન્દૂ ધર્મ વિરોધી ટિપ્પણી વાઇરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ
આહવા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટો સાથે હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક લખાણ લખી સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. બંને ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભારતના બંધારણમાં દરેક ને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે.તેમજ અન્યના ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનાર વિરુદ્ધ પણ કાયદો ઘડવામાં આવેલ છે.ત્યારે આહવા ખાતે એક વોટસએપ ગ્રૂપ માં (૧) મહેશ ગિરધર આહીરે (રહે. પટેલપાડા ગામ.આહવા તા.આહવા જી.ડાંગ),(૨)જીતેશ (રહે.મોટીઝાડ દર તા.સુબીર જી.ડાંગ) એ હિન્દુ ધર્મના લોકોને ઠેસ પહોંચે એવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર ડો. બાબાસાહેબ આંબેડકર ના ફોટા સાથે હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક લખાણ લખી હિન્દુ દેવી-દેવતાઓ તથા દુર્ગા માતાના નવરાત્રીના તહેવાર બાબતે હિન્દુ ધર્મની લાગણી દુભાવવાના ઇરાદાથી અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરીને લખાણ લખવામાં આવ્યુ હતુ.જેના કારણે હિન્દુ ધર્મના લોકોને આસ્થાના ઠેસ પહોંચી હતી.અને હિન્દુ ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જે બાદ ડાંગ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદમાં ગૌરક્ષક તરીકે ફરજ બજાવતા કેવલ સુરેશ ચૌધરી એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી, નોટીશ ફટકારવામાં આવી હતી.જે બાદ આ બન્ને આરોપીઓ પોલીસ મથકે હાજર થયા હતા.હાલમાં પોલીસે તેમનો મોબાઈલ ફોન કબ્જે કરી એફ.એસ.એલ.માં મોકલેલ છે.ત્યારે એફ.એસ.એલ.નો રિપોર્ટમાં પુરાવા મળી આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આહવા પોલીસે સમગ્ર મામલે ઇ.પી.કો.કલમ ૧૫૩(ક),૨૯૫,૨૯૮,૧૧૪ મુજબ બંને ઈસમો સામે ફરિયાદ નોંધી છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 'એક પેડ મા કે નામ' ઝુંબેશના મહત્વાકાંક્ષી વિસ્તરણની શરૂઆત કરી છે, જેમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં રાજ્યભરમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે, જેમાં માર્ચ 2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાના અંતિમ લક્ષ્યાંક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, જે વ્યાપક વૃક્ષારોપણ દ્વારા ગ્લોબલ વોર્મિંગને સંબોધવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ પર શરૂ થયું હતું.
ગુજરાતના પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ પુષ્ટિ કરી હતી કે સતત વરસાદ છતાં કોઈ જાનહાનિ થઈ નથી.
'નિર્ભયા સેફ સિટી' પ્રોજેક્ટના ભાગરૂપે સમગ્ર અમદાવાદમાં 205 વિસ્તારોમાં ઈમરજન્સી કોલ બોક્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનો હેતુ મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી વધારવાનો છે.