પ્રધાનમંત્રી આજે મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું ઉદ્ઘાટન કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં 141માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું ઉદ્ઘાટન કરશે. લગભગ 40 વર્ષ બાદ ભારતમાં આ સત્રનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લે 1983માં 86માં સત્ર માટે નવી દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓલિમ્પિક ગેમ્સના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો સમિતિના સત્ર દરમિયાન લેવામાં આવે છે. આ સત્રમાં સમિતિના અધ્યક્ષ થોમસ બાચ, ઘણા પ્રખ્યાત ખેલાડીઓ અને રમતગમત સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.
માહિતી પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ગઈકાલે મુંબઈમાં જાણીતા ખેલાડીઓ અને આંતરરાષ્ટ્રીય રમત મહાસંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકોમાં ભારતીય રમતવીરોના સ્વાસ્થ્ય અને પ્રદર્શનને સુધારવા માટે રમત વિજ્ઞાન અને ચિકિત્સા ક્ષેત્રે નિપુણતાનું આદાનપ્રદાન, તાલીમ પદ્ધતિઓ અને સાધનસામગ્રીને સુધારવા માટે સંયુક્ત સંશોધન અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ જોવા મળ્યો. એ જ રીતે ડિજિટલ કોચિંગ અને તાલીમનો ઉપયોગ રમતગમતમાં પણ થઈ શકે છે.
બજેટ સત્ર દરમિયાન ઓડિશાના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજનો પુનર્જન્મ ગણાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. આ નિવેદન પર કોંગ્રેસે તેમને ઘેર્યા અને દેશની માફી માંગવા કહ્યું.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.