વડાપ્રધાને આજે મહેસાણાના તરભમાં રૂ. 13 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું
ન્યૂ ઈન્ડિયાનો દરેક પ્રયાસ આવનારી પેઢીઓ માટે વારસો બનાવી રહ્યો છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાને આજે મહેસાણાના તરભમાં રૂ. 13 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. એક સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે બનેલા રસ્તાઓ અને રેલ્વે વિકસિત ભારતનો માર્ગ મોકળો કરે છે. વિકાસ પ્રત્યે તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં વડા પ્રધાને કહ્યું કે મોદીની ગેરંટી સમાજના નીચલા વર્ગના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હેતુ છે. તેમણે કહ્યું કે તેમની સરકાર વિકાસની સાથે વારસાના સંરક્ષણ પર ભાર આપી રહી છે.
આજે ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સમાં ભારત નેટ ફેઝ II – ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોન્ચિંગ સામેલ છે. તે આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પ્રદાન કરશે. આ પ્રસંગે રેલ્વે લાઈન ડબલીંગ, ગેજ કન્વર્ઝન, મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાં નવી બ્રોડગેજ લાઈનો, ખેડા, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણામાં અનેક રોડ પ્રોજેકટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં 24000 થી વધુ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. આ માહિતી ગુજરાત સરકારના મંત્રીએ આપી છે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.