IPL 2025 પહેલા RCB લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય, વિરાટ કોહલી ફરી બની શકે છે કેપ્ટન
RCBના ફેન્સ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. વિરાટ કોહલી ફરી એકવાર RCBનો કેપ્ટન બની શકે છે.
વિરાટ કોહલીની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે અને તે IPLમાં RCB ટીમ તરફથી રમે છે. તેણે પોતાની જોરદાર બેટિંગથી RCB ટીમને ઘણી મેચો જીતાડવી છે. તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. તેના નામે આવા અગણિત રેકોર્ડ છે, જે દુનિયાનો દરેક બેટ્સમેન બનાવવા માંગશે. પણ એક ઘા છે જે તેને હંમેશ સતાવતો રહેશે. તે 2008થી IPLમાં રમી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી તે IPL ટ્રોફી જીતી શક્યો નથી. કોહલીએ વર્ષ 2022માં જ આરસીબીની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ તેના સ્થાને ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં પણ આરસીબીનું કિસ્મત બદલાઈ શક્યું નથી.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.
જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.