ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે રાઘવજીભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી
‘ઠક્કરબાપા’ના હૂલામણા નામથી જાણીતા શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
‘ઠક્કરબાપા’ના હૂલામણા નામથી જાણીતા શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
‘ઠક્કરબાપા’ના તૈલચિત્રને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા બાદ શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં ‘ઠક્કરબાપા’એ પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરીમાં ખુબ જ ઉમદા કાર્ય કર્યું હતું. આ ઉપરાંત ‘ઠક્કરબાપા’એ અસહકારની લડતમાં ધરપકડ, દોઢ માસનો જેલવાસ, અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણસભાના સભ્ય, બંધારણમાં અનુસૂચિત જાતી અને જનજાતિ સમુદાય માટે દેશહિતના કામો પણ તેમણે કર્યા
હતા.
આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ તથા વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહીને પૂજ્ય ઠક્કરબાપાને પુષ્પ અર્પણ કર્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.