વરસાદી માહોલ જામ્યો,ત્રણ દિવસની રજાઓનાં પગલે ગિરિમથક સાપુતારા હાઉસફુલ...
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ,આહવા,પિંપરી,વઘઇ,સાકરપાતળ,સુબિર, ચીંચલી, સિંગાણા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં શનિવારે વરસાદી માહોલ જામ્યો હતો. ગતરોજ આહવા પંથકમાં મધ્યમ જ્યારે સાપુતારા પંથકમાં ધબધબાટી બોલાવી હતી. તો વઘઇ અને સુબિર પંથકમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. શનિવારે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. શનિવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ,આહવા,પિંપરી,વઘઇ,સાકરપાતળ,સુબિર, ચીંચલી, સિંગાણા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે અંબિકા,ગીરા,પૂર્ણા અને ખાપરી નદીનાં વહેણ તેજ બન્યા હતા.તો બીજી તરફ વરસાદી માહોલમાં પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. સાથે નાના મોટા જળધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શનિવારથી સોમવાર સુધી જન્માષ્ટમીની રજા આવતી હોય જેથી જન્માષ્ટમીની રજાઓના સંદર્ભે ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં અન્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા. સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ગાઢ ઘુમ્મસીયા વાતાવરણમાં કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા. સાપુતારા ખાતે ત્રણ દિવસ સુધી હોટલોમાં બુકીંગ થઈ જતા શનિવારથી જ હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા છે. ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 30 મિમી અર્થાત 1.2 ઈંચ, આહવા પંથકમાં 41 મિમી અર્થાત 1.64 ઈંચ, સુબિર પંથકમાં 45 મિમી અર્થાત 1.8 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 2.76 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી