મન કી બાત- ૧.૦" ના ગુજરાતી પુસ્તકનું માનનીય મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
Unstoppable India Foundation દ્વારા તૈયાર કરેલ "મન કી બાત- ૧.૦" પુસ્તકનું વિમોચન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે કરવામાં હતું.
Unstoppable India Foundation દ્વારા તૈયાર કરેલ "મન કી બાત- ૧.૦" પુસ્તકનું વિમોચન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે કરવામાં હતું.
"મન કી બાત ૧.૦" પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હરહંમેશ સંવાદને પ્રાધાન્ય આપતાં રહ્યાં છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે “સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ” થકી જનતા જનાર્દન સાથે સંવાદ સાધીને રાજ્યની જનતા સાથે જોડાઈ રહ્યાં.
વર્ષ 2014 માં શ્રી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા બાદ તુરંત જ તેમણે પ્રધાનસેવક તરીકે દેશની જનતા સાથે સંવાદ દ્વારા લોકતંત્રને મજબૂત અને ઉજ્જવળ બનાવવા “મન કી બાત” નામથી રેડિયો વાર્તાલાપ શરૂ કરી, આકાશવાણીના માધ્યમથી તેમની વાત કરોડો દેશવાસીઓના મનની વાત બની ગઈ છે.
વધુમાં Unstoppable India Foundation ના ચેરમેન શ્રી મેહુલ મકવાણા એ જણાવ્યું હતું કે, “મન કી બાત 1,0” સ્મૃતિ સંગ્રહ અલગ-અલગ વિષયો, શક્તિઓ, વ્યક્તિઓ અંગેના તેમના વિચારને સરળ ભાષા અને શૈલીમાં તૈયાર કરી છે. “મન કી બાત 1.0” સ્મૃતિ સંગ્રહ કોઈ પુસ્તક નથી પણ સ્મૃતિઓનો સંગ્રહ છે જે વરસો વરસ સુધી આપણને સૌને, દેશ અને દુનિયાને પથ દર્શાવતો રહેશે, માર્ગદર્શિત કરાવતો રહેશે તેવી મને શ્રદ્ધા છે.
આ પુસ્તક તૈયાર કરવા માટે શ્રી પ્રવીણ દ્વારી - Director - Unstoppable India Foundation, શ્રી મૌલિક આસોડિયા (Content Expert & Sr. Sub Editor) શ્રી વાડીભાઈ જોશી (Translator : Gujarati, Hindi, English, Marathi, Sanskrit), ડૉ. જશભાઈ પટેલ (Translator: Gujarati, Hindi), શ્રી રાજેન સોની (Translator: Gujarati/English) નો મહત્વનો ફાળો રહ્યો.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.