ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટે ૨૨ માર્ચ સુધી અરજી કરવા અનુરોધ
આર્મી રિક્રુટીંગ ઓફિસ અમદાવાદ દ્વારા ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અગ્નીવીર યોજના અંતર્ગત આર્મીના વિવિધ ટ્રેડમાં ભરતી કરવામાં આવનાર છે.
અમદાવાદ : આર્મી રિક્રુટીંગ ઓફિસ અમદાવાદ દ્વારા ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અગ્નીવીર યોજના અંતર્ગત આર્મીના વિવિધ ટ્રેડમાં ભરતી કરવામાં આવનાર છે.
ભરતી જેમાં ૧૭.૫ થી ૨૧ વર્ષની અને ૧૬૮ સેમી ઉંચાઇ તેમજ ૭૭ સેમી છાતી ધરાવતા અને ૫૦ કિ.ગ્રા. વજન ધરાવતા પુરુષ ઉમેદવારો કે જેઓએ ધો.૮ પાસ, ધો.૧૦ પાસ, ધો. ૧૨ પાસ, આઇ.ટી.આઇ. અને ડિપ્લોમા પાસ કરેલ હોવીજોઈએ. તેઓના માટે ભરતીની પ્રથમ તબક્કાની ઓનલાઇન લેખિત પરીક્ષા આગામી નાણાકિય વર્ષ-૨૦૨૪-૨૫માં યોજાનાર છે.
આ ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારો તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ થી તા.૨૨ માર્ચ ૨૦૨૪ સુધી www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતીની વધુ માહિતી ઉમેદવારો www.joinindianarmy.nic.in લીંક પર તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નર્મદાનો રૂબરૂ સંપર્ક કરીને મેળવી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.