ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટે ૨૨ માર્ચ સુધી અરજી કરવા અનુરોધ
આર્મી રિક્રુટીંગ ઓફિસ અમદાવાદ દ્વારા ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અગ્નીવીર યોજના અંતર્ગત આર્મીના વિવિધ ટ્રેડમાં ભરતી કરવામાં આવનાર છે.
અમદાવાદ : આર્મી રિક્રુટીંગ ઓફિસ અમદાવાદ દ્વારા ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અગ્નીવીર યોજના અંતર્ગત આર્મીના વિવિધ ટ્રેડમાં ભરતી કરવામાં આવનાર છે.
ભરતી જેમાં ૧૭.૫ થી ૨૧ વર્ષની અને ૧૬૮ સેમી ઉંચાઇ તેમજ ૭૭ સેમી છાતી ધરાવતા અને ૫૦ કિ.ગ્રા. વજન ધરાવતા પુરુષ ઉમેદવારો કે જેઓએ ધો.૮ પાસ, ધો.૧૦ પાસ, ધો. ૧૨ પાસ, આઇ.ટી.આઇ. અને ડિપ્લોમા પાસ કરેલ હોવીજોઈએ. તેઓના માટે ભરતીની પ્રથમ તબક્કાની ઓનલાઇન લેખિત પરીક્ષા આગામી નાણાકિય વર્ષ-૨૦૨૪-૨૫માં યોજાનાર છે.
આ ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારો તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ થી તા.૨૨ માર્ચ ૨૦૨૪ સુધી www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતીની વધુ માહિતી ઉમેદવારો www.joinindianarmy.nic.in લીંક પર તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નર્મદાનો રૂબરૂ સંપર્ક કરીને મેળવી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેન્સરના દર્દીઓને, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સફળ ટેબ્લો પાછળની ટીમ સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી, જ્યાં તેમણે રાજ્ય સાંસ્કૃતિક પ્રદર્શનમાં ત્રીજું સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા
ડાંગ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુ:ખદ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ થયા હતા.