બાગાયતદાર ખેડૂત મિત્રોને બદલાતા વાતાવરણ (વાવાઝોડું/વરસાદ) ધ્યાને પગલાં લેવા અનુરોધ
હવામાન વિભાગ દ્વારા તેમજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા કૃષી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાનું મૌસમ પુર્વાનુમાન બહાર પાડવામાં આવતું હોય છે. જેને આધારે ભારે પવન અને વરસાદની આગાહી માટે નીચે મુજબના પગલાં લેવા સૌ ખેડુત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે.
અત્રેના જિલ્લાના બાગાયતી પાકો જેવા કે કેળ, પપૈયા, આંબા, જામફળ, લિંબુ વગેરે ને ટેકા આપવા,થડ આજુબાજુ માટી/પાળા ચઢાવવા, કેળ અને પપૈયા માટે ખેતરની ફરતે પવન અવરોધક
વાડ કરવી ખાસ જરૂરી છે.
ચોમાસા દમિયાન કેળ અને પપૈયાના બગીચામાં પાણી ન ભરાય રહે તે માટે નિતાર નિક બનાવવી, મે-જુન માસ દરમિયાન થડને ટેકો આપવા તેમજ અન્ય બાગાયતી પાકોના બગીચામાં પાણી ભરાય ન જાય એની કાળજી રાખવી, બાગાયતી પાકોમાં પિયત ટાળવું, બાગાયતી પાકોમાં રાસાયણિક દવાનો છંટ્કાવ ટાળવો, પરિપકવ પાક તુરંત ઉતારી લેવું અને સુરક્ષિત જગ્યાએ ખસેડી શોર્ટીગ ગ્રેડિંગ અને પેકિંગ કરી વેચાણની વ્યવસ્થા સત્વરે કરવું, એ.પી.એઁમ.સી તેમજ બાગાયતી પાકોના નિકાસ સાથે જોડાયેલ ખેડૂત અને વ્યાપારી મિત્રોને ખાસ જણાવવાનું કે નિકાસલક્ષી પાક ઉત્પાદને સુરક્ષિત સ્થાને ખસેડવો, રોગ જીવાતનો ઉપદ્રવ ઉદભવે તો નિયંત્રણનાં પગલા લેવા, મૌસમ એપ, મેધદુત એપ અને દામિની એપનો ઉપયોગ મૌસમ પુર્વાનુમાન અને સાવચેતી માટે કરવો.
વધુ માહિતી માટે આપના ગામના ગ્રામસેવક/આત્મા બી.ટી.એમ/એ.ટી.એમ તાલુકાના બાગાયત અધિકારીશ્રી તથા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી-નર્મદા ફોન નં.૦૨૬૪૦-૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવો તેમજ દેડીયાપાડા કૃષી વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષી યુનિવર્સિટીના સંપર્કમાં રહેવા નાયબ બાગાયત નિયામકશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી એક યાદીમાં જણાવાયું છે.
"રાજકોટમાં 15 વર્ષથી નકલી ડોક્ટર હરેશ મારૂએ બોગસ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી. એસઓજી પોલીસની ધરપકડથી ખળભળાટ. વાંચો સંપૂર્ણ ઘટનાની વિગતો."
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."
"અમદાવાદની VS હોસ્પિટલમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. કરોડો રૂપિયાની ગેરરીતિ, એક ડોક્ટર સસ્પેન્ડ અને 8 કોન્ટ્રાક્ટ ડોક્ટરો બરખાસ્ત. જાણો ક્લિનિકલ ટ્રાયલના નિયમો અને આ ઘટનાની સંપૂર્ણ વિગતો."