વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા
નર્મદા જિલ્લામાં ૯ માં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં માન. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રીશ્રી સોમપ્રકાશની પ્રેરક ઉપસ્થિતમાં યોજાનારા “વિશ્વ યોગ દિવસ” ની પૂર્વ તૈયારીના ભાગરૂપે એકતાનગર વહિવટી સંકુલમાં SoUADTGA ના અધિક કલેક્ટરશ્રી હિમાંશુ પરિખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં અધિક કલેક્ટરશ્રી પરીખે સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને આ સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓને પણ સ્થળ ઉપર યોગ પ્રોટોકોલને લગતી આનુશાંગિક વ્યવ્સ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ સહિત લાઈવ સ્ક્રીન અંગેની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વિષ્ણુભાઈ વસાવાએ ગોઠવાયેલ વ્યવસ્થાઓથી અધિક કલેક્ટરશ્રીને વાકેફ કર્યા હતા. “વિશ્વ યોગ દિવસ” ની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં SoUADTGA ના નાયબ કલેક્ટરશ્રી અભિષેક સિન્હા, નાંદોદ પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી નિર્ભયસિંહ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાણી દૂધાત, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના વાહન નિરિક્ષકશ્રી વી.ડી.આસલ, એનઆઈસીના સુશ્રી ફોરમ ઝવેરી સહિત
સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યા પછી, સુરત આ પ્રતિષ્ઠિત દરજ્જાને જાળવી રાખવાની સતત જવાબદારીનો સામનો કરે છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેર સ્વચ્છતાનું દીવાદાંડી બની રહે તે માટે સક્રિયપણે ભાગ લીધો છે.
સુરેન્દ્રનગરના પરલી ગામમાં પિતાએ પોતાની પુત્રીને તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઇજા પહોંચાડી, ત્યારબાદ ઘટનાસ્થળેથી ભાગી જવાની કરુણ ઘટના સામે આવી છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કે. કૈલાશનાથન, તેમના નિવૃત્ત મુખ્ય અગ્ર સચિવ, 2006 થી તેમની અનુકરણીય સેવા બદલ સન્માન કરે છે. કૈલાશનાથનની પ્રભાવશાળી કારકિર્દી અને યોગદાન વિશે જાણો.