દેડિયાપાડામાં ભારે વરસાદ થતાં નદીઓ ગાંડીતૂર
પાનુડા ગામેં કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલા વ્યક્તિ તણાઇ જતા મોત.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હવામાન વિભાગની અગાહીને પગલે દેડિયાપાડા સહિત આસપાસના વિસ્તારોમાં બે દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે આખો દિવસ ધીમીધારે વરસ્યા બાદ શુક્રવારે સવારે થી જ વરસાદે ધમધમાટી બોલાવી હતી. ધોધમાર વરસાદને કારણે નદીઓમા પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં હતા.દેડિયાપાડા નગરમાં રસ્તાઓ પર પાણી વહેવા માંડ્યું હતું. જો કે લાંબા સમયના વિરામ બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેતીના તમામ પાકોને જીવનદાન મળ્યું હતું.
જ્યારે દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલ એક વ્યક્તિનું પાણીમાં તણાઇ જતા મોત નિપજ્યું હતું. પાનુડા ગામના રહીશ સુરેશભાઈ મગરિયાભાઈ વસાવા ઉંમર વર્ષ 40 નાઓ તારીખ 14 સપ્ટેમ્બરના રોજ બપોરે માછલી પકડવા કરજણ નદીમાં ગયા હતા. જ્યા નદીના પાણીમાં તણાઈ ગયા હતાં. જેમની ગામ લોકો દ્વારા શોધખોળ કરતા તારીખ 15 ના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યા પછી, સુરત આ પ્રતિષ્ઠિત દરજ્જાને જાળવી રાખવાની સતત જવાબદારીનો સામનો કરે છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેર સ્વચ્છતાનું દીવાદાંડી બની રહે તે માટે સક્રિયપણે ભાગ લીધો છે.
સુરેન્દ્રનગરના પરલી ગામમાં પિતાએ પોતાની પુત્રીને તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઇજા પહોંચાડી, ત્યારબાદ ઘટનાસ્થળેથી ભાગી જવાની કરુણ ઘટના સામે આવી છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કે. કૈલાશનાથન, તેમના નિવૃત્ત મુખ્ય અગ્ર સચિવ, 2006 થી તેમની અનુકરણીય સેવા બદલ સન્માન કરે છે. કૈલાશનાથનની પ્રભાવશાળી કારકિર્દી અને યોગદાન વિશે જાણો.