દેડિયાપાડામાં ભારે વરસાદ થતાં નદીઓ ગાંડીતૂર
પાનુડા ગામેં કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલા વ્યક્તિ તણાઇ જતા મોત.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હવામાન વિભાગની અગાહીને પગલે દેડિયાપાડા સહિત આસપાસના વિસ્તારોમાં બે દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે આખો દિવસ ધીમીધારે વરસ્યા બાદ શુક્રવારે સવારે થી જ વરસાદે ધમધમાટી બોલાવી હતી. ધોધમાર વરસાદને કારણે નદીઓમા પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં હતા.દેડિયાપાડા નગરમાં રસ્તાઓ પર પાણી વહેવા માંડ્યું હતું. જો કે લાંબા સમયના વિરામ બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેતીના તમામ પાકોને જીવનદાન મળ્યું હતું.
જ્યારે દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલ એક વ્યક્તિનું પાણીમાં તણાઇ જતા મોત નિપજ્યું હતું. પાનુડા ગામના રહીશ સુરેશભાઈ મગરિયાભાઈ વસાવા ઉંમર વર્ષ 40 નાઓ તારીખ 14 સપ્ટેમ્બરના રોજ બપોરે માછલી પકડવા કરજણ નદીમાં ગયા હતા. જ્યા નદીના પાણીમાં તણાઈ ગયા હતાં. જેમની ગામ લોકો દ્વારા શોધખોળ કરતા તારીખ 15 ના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.