એસબીઆઇએ ‘મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસ’ લોંચ કર્યું, ઘરઆંગણા સુધી નાણાકીય સમાવેશીકરણ
દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ સુવિધાઓનો લાભ મેળવવામાં સુલભતા અને સગવડતામાં વધારો કરવાની દિશામાં એક નોંધપાત્ર પગલું ભરતાં તેના એફઆઇ ગ્રાહકો માટે ‘મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસ’ રજૂ કરવાની જાહેરાત કરી છે.
મુંબઇ: દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ સુવિધાઓનો લાભ મેળવવામાં સુલભતા અને સગવડતામાં વધારો કરવાની દિશામાં એક નોંધપાત્ર પગલું ભરતાં તેના એફઆઇ ગ્રાહકો માટે ‘મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસ’ રજૂ કરવાની જાહેરાત કરી છે. આ નવીન પહેલનું અનાવરણ એસબીઆઇના ચેરમેન શ્રી દિનેશ ખારાએ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય નાણાકીય સમાવેશીકરણને સશક્ત કરવાનું તથા જનતા સુધી આવશ્યક બેંકિંગ સુવિધાઓ પહોંચાડવાનો છે.
મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસ કિઓસ્ક બેન્કિંગને સીધા ગ્રાહકના ઘર સુધી લાવીને બેન્કિંગ સુલભતામાં ક્રાંતિ લાવવા માટે સજ્જ છે. તે કસ્ટમર સર્વિસ પોઇન્ટ (સીએસપી) એજન્ટોને તેઓ જ્યાં પણ હોય ત્યાં ગ્રાહકો સુધી પહોંચવામાં સક્ષમ બનાવે છે. આ પહેલ વિશેષ કરીને એવા ગ્રાહકોને લાભ કરશે કે જેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને કારણે સીએસપી આઉટલેટ્સ એક્સેસ કરવામાં પડકારોનો સામનો કરે છે.
મોબાઈલ હેન્ડહેલ્ડ ડિવાઈસ તેના શરૂઆતી તબક્કામાં પાંચ કોર બેંકિંગ સેવાઓ પૂરી પાડશે જેમ કે રોકડ ઉપાડ, રોકડ જમા, ફંડ ટ્રાન્સફર, બેલેન્સ ઈન્ક્વાયરી અને મિની સ્ટેટમેન્ટ, જે એસબીઆઇના સીએસપી આઉટલેટ્સ ઉપર કરવામાં આવેલા કુલ વ્યવહારોના 75 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. વધુમાં બેંક ટૂંક સમયમાં સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નોંધણી, ખાતું ખોલાવવા, રેમિટન્સ અને કાર્ડ આધારિત સેવાઓ જેવી સેવાઓનો સમાવેશ કરીને તેની ઓફરિંગને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.
એસબીઆઇના ચેરમેન દિનેશ ખારાએ આ પહેલ વિશે તેમનું વિઝન રજૂ કરતાં કહ્યું હતું કે, “અમારું લક્ષ્ય વિશેષ કરીને બેંકિંગ સુવિધાઓથી વંચિત તથા સમાજના દરેક વર્ગો માટે બેંકિંગ સુવિધાઓ સુલભ બનાવવાનો છે, જેથી નાણાકીય સમાવેશીકરણની અપેક્ષાઓને પૂર્ણ કરી શકાય. મોબાઇલ હેન્ડહેલ્ડ ડિવાઇસની રજૂઆત સાથે ગ્રાહકો તેમના ઘરેથી ટ્રાન્ઝેક્શનનો સરળ અને બેજોડ અનુભવ મેળવશે. આ ટેક્નોલોજી-આધારિત પહેલ નાણાકીય સમાવેશીકરણને વ્યાપક બનાવવાની તથા ડિજિટાઇઝેશન દ્વારા અમારા ગ્રાહકોને ઘરઆંગણે અનુકૂળ બેંકિંગ પૂરું પાડીને સામાજિક કલ્યાણની એસબીઆઇની કટીબદ્ધતા દર્શાવે છે.”
પીયૂષ ગોયલે યુકેની ચૂંટણી પછી ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પ્રગતિની ખાતરી આપી છે જ્યારે ભારત-EU વેપાર વાટાઘાટોને આગળ વધારીને, ભારતના આર્થિક વિકાસને મજબૂત બનાવશે.
ભારતમાં, સામાન્ય માણસ પોસ્ટ ઓફિસ અને અન્ય ઘણી સરકારી બચત યોજનાઓમાં નાની બચત કરવાનું પસંદ કરે છે. બજેટ પહેલા જ સરકારે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જાણો કઈ સ્કીમ પર સરકાર કેટલું વ્યાજ આપશે...
જેએસડબલ્યુ ગ્રૂપનો હિસ્સો અને ભારતની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (“કંપની”)એ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની જેએસડબલ્યુ પોર્ટ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (“અધિગ્રહણકર્તા”) દ્વારા નવકાર કોર્પોરેશન લિમિટેડ (“નવકાર”)માં પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપના 70.37 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટેની સંમતિ દર્શાવી છે.