ડીસીએમ શ્રીરામ લિમિટેડે સબલીલ નંદીની કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે નિમણૂંક કરી
અગ્રણી વ્યવસાયિક સમૂહ ડીસીએમ શ્રીરામ લિમિટેડ, જે રૂ. 9849 કરોડનું ટર્નઓવર ધરાવે છે, તેણે પોતાના કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે સબલીલ નંદીની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી, 10 એપ્રિલ, 2023: અગ્રણી વ્યવસાયિક સમૂહ ડીસીએમ શ્રીરામ લિમિટેડ, જે રૂ. 9849 કરોડનું ટર્નઓવર ધરાવે છે, તેણે પોતાના કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે સબલીલ નંદીની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. સબલીલ નંદીએ આઇઆઇટી ખડગપુરમાંથી એન્જિનિયરીંગ અને આઇઆઇએમ લખનઉમાંથી એમબીએ કર્યું છે.
ટાટા ગ્રૂપ, ઝુઆરી એગ્રોકેમિકલ્સ અને પારાદીપ ફોસ્ફેટ લિમિટેડ જેવી કંપનીઓમાં પોતાની સફળતા દર્શાવનાર વૈશ્વિક લીડર સબલીલ નંદી કેમિકલ અને ફર્ટિલાઇઝર્સમાં બે દાયકાથી વધુ અનુભવ ધરાવે છે તથા ટાટા મોટર્સ, ટાટા સન્સ, ટાટા કેમિકલ્સ જેવી ટાટા ગ્રૂપની કંપનીઓમાં તેમણે 18 વર્ષ કામ કર્યું છે. તેઓ ટાટા કેમિકલ્સ (નોર્થ અમેરિકા)ના વીપી પણ હતાં તથા વિશ્વના સૌથી મોટા સોડા-એશ પ્લાન્ટ્સ પૈકીના એકનું નેતૃત્વ કર્યું હતું.ડીસીએમ શ્રીરામ લિમિટેડ સાથે જોડાતા પહેલાં તેઓ પારાદીપ ફોસ્ફેટ્સ લિમિટેડના પ્રેસિડેન્ટ અને સીઓઓ હતાં, જ્યાં તેના ઓપરેશન્સ, પીએન્ડએલ, સ્ટ્રેટેજી, એમએન્ડએ અને ગ્લોબલ પ્રોક્યોરમેન્ટનું નેતૃત્વ કર્યું હતું.
BSE share price : હાલમાં, BSE ના ઇક્વિટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ મંગળવારે સમાપ્ત થાય છે, જ્યારે NSE એ એપ્રિલ 2025 થી સોમવારે તેની સમાપ્તિ રાખવાની યોજના બનાવી હતી, જેને હવે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.
દૂધના ભાવમાં 4 રૂપિયાનો મોટો વધારો થવાના સમાચાર છે. કર્ણાટકમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આજે બજારે ઘટાડા સાથે લાલ નિશાન પર કારોબાર શરૂ કર્યો. પરંતુ થોડા સમય પછી, ખરીદી વધતી ગઈ, તે ગ્રીન ઝોનમાં આવી ગયું. ગુરુવારે, સેન્સેક્સ 728.69 પોઈન્ટના ઘટાડા સાથે 77,288.50 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 181.80 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,486.85 પોઈન્ટ પર બંધ થયો હતો.