સાબરમતી-કલોલ અને સાબરમતી-ચાંદલોડિયા સેક્શન ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમથી સજ્જ
પ.રે.ના અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં સાબરમતી-કલોલ (20.57 કિમી) અને અમદાવાદ-વિરમગામ સેક્શનમાં સાબરમતી-ચાંદલોડિયા (7.65 કિમી) વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ બ્લોક સિસ્ટમ કુલ 28.22 કિમીની સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. આ સેક્સન હવે અદ્યતન 4-એસ્પેક્ટ ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ ટેકનોલોજીથી સજ્જ છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં સાબરમતી-કલોલ (20.57 કિમી) અને અમદાવાદ-વિરમગામ સેક્શનમાં સાબરમતી-ચાંદલોડિયા (7.65 કિમી) વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ બ્લોક સિસ્ટમ કુલ 28.22 કિમીની સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. આ સેક્સન હવે અદ્યતન 4-એસ્પેક્ટ ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ ટેકનોલોજીથી સજ્જ છે.
અમદાવાદ-પાલનપુર રેલખંડ માં સ્થિત સાબરમતી-કલોલ સેક્સન એક ઉચ્ચ ઘનતાનો માર્ગ છે જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને જોડતો એક મુખ્ય રેલ માર્ગ પણ છે તથા સાબરમતી-ચાંદલોડિયા સેક્સન જે અમદાવાદ-વિરમગામ રેલ ખંડ નો ભાગ છે જે કચ્છ જિલ્લાની સાથે સાથે ગાંધીધામના નજીકના આર્થિક ક્ષેત્રો (SEZ) સહિત આ આ ક્ષેત્ર ના ઘણા ઔદ્યોગિક ક્ષેત્રો ને કનેક્ટિવિટી પૂરી પાડે છે.
ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ અથવા સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ ટ્રેનોને સુરક્ષિત ચલાવવા માટે વપરાતી એક સિસ્ટમ છે. આ સિસ્ટમમાં ટ્રેનો વચ્ચે દરેક કિલોમીટરે સિગ્નલ લગાવવામાં આવે છે. જેના કારણે ટ્રેનોના ઊંચા નેટવર્ક દરમિયાન પણ અકસ્માતની શક્યતા નહિવત રહે છે.
આ કમિશનિંગ પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં, શહેરી કેન્દ્રો અને મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સાથે વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે , જેનો આર્થિક અને ક્ષેત્રીય વિકાસમાં યોગદાન હોય છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ભારતના રેલ નેટવર્કના આધુનિકીકરણ તરફનું એક મોટું પગલું છે અને તેનાથી પેસેન્જર અને માલ પરિવહનને ઘણો ફાયદો થશે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી