સૌરાષ્ટ્ર તમિલ સંગમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને ટ્વિટમાં કહ્યું હતું કે,પુથાંડુ (તમિલ નવવર્ષ)ના વિશેષ અવસર પર, મદુરાઈથી વેરાવળ સુધીની એક વિશેષ યાત્રા શરૂ થઈ છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈથી એસટી સંગમમ માટે પ્રથમ બેચને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી તે બાબતે ટ્વિટ કરીને પ્રશંસા કરી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે,પુથાંડુ (તમિલ નવવર્ષ)ના વિશેષ અવસર
પર, મદુરાઈથી વેરાવળ સુધીની એક વિશેષ યાત્રા શરૂ થઈ છે.
સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને આ કાર્યક્રમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ અન્ય ટ્વિટ કરીને ટ્રેનમાં ગુજરાત આવવા નીકળેલા લોકોના ઉત્સાહનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એક બાળક તમામ મુસાફરોનો ભક્તિ-સંગીતથી ઉત્સાહ વધારી રહ્યો હોવા અંગે તેમણે પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ દસ દિવસીય કાર્યક્રમમાં અલગ-અલગ બેચમાં સોરાષ્ટ્ર મૂળના તથા સૌરાષ્ટ્ર મૂળ સિવાયના તમિલો અનુક્રમે ૭૦:૩૦ના ગુણોત્તરમાં ભાગ લેવાના છે. જેમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, વણકરો,શિક્ષકો વગેરે સમુદાયોનો સમાવેશ થાય છે. પ્રવાસીઓના આવન-જાવન માટે ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન છે, જે પૈકી પ્રથમ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવવા રવાના થઈ ચૂકી છે. જે સંભવિત ૧૭ એપ્રિલના રોજ ગુજરાત પહોંચશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.