બોરસદ અને આંકલાવ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ૨૮ મૃત પશુઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ
બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે ગત દિવસોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતા ભાઠા વિસ્તારમાં પશુઓને બાંધેલા રાખવામાં આવતા હોય આવા પશુઓ ભારે પાણીમાંથી નીકળી શક્યા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થવા પામેલ છે. અસરગ્રસ્તોની રજૂઆતને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પશુઓના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આણંદ : બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે ગત દિવસોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતા ભાઠા વિસ્તારમાં પશુઓને બાંધેલા રાખવામાં આવતા હોય આવા પશુઓ ભારે પાણીમાંથી નીકળી શક્યા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થવા પામેલ છે. અસરગ્રસ્તોની રજૂઆતને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પશુઓના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન અને સૂચના મુજબ પાણીનો પ્રવાહ ધીરે ધીરે ઓસરતા પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક પશુઓને સારવાર આપવા માટે અને મૃત પશુઓ શોધીને તેના પોસ્ટમોર્ટમ સહિત વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ૬ જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં ૦૭ વેટરનરી ઓફિસર, પાંચ એમ્બ્યુલન્સ વાન ( ગ્રીન વેટરનરી ક્લિનિક), ૧૦ પશુધન નિરીક્ષક અને એક મદદનીશ પશુપાલન નિયામકની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી જે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવી છે.
નાયબ પશુપાલન નિયામક શ્રી ડો. એસ. બી.ઉપાધ્યાયે જણાવ્યું કે બોરસદ અને આંકલાવ તાલુકાના પ્રભાવિત ગામો જેમાં ગંભીરા, બામણગામ, ચમારા, સંખ્યાડ, આમરોલ, કહાનવાડી, સારોલ, ગાજણા, કોઠીયાખાંડ, નાની શેરડી, દહેવાણ, કંકાપુરા, વાલવોડ અને બદલપુર ગામો ખાતે પશુઓના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
પશુપાલન વિભાગની ટીમ પાણીમાં જઈને પણ મૃત પશુઓને શોધીને પોસ્ટમોર્ટમની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ભાઠા વિસ્તારમાં પશુઓ બાંધ્યા હોય તે પશુઓ ભારે પાણીમાંથી બહાર ન આવી શકતા તેવા ૨૮ જેટલા પશુ મૃત્યુ પામેલા મળી આવ્યા હતા. જે તમામ પશુઓના પોસ્ટમોર્ટમ કરી નિકાલ કરવામાં આવ્યો છે.
શ્રી ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું કે અમારી ટીમો દ્વારા બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે પશુઓના આરોગ્યને ધ્યાને લઇ સારવાર આપવાના થતા હોય તેવા ૨૩ પશુઓને સારવાર આપવામાં આવી છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.