અનુસૂચિત જાતિના ૮૦૩ લાભાર્થીઓની રૂ.૨૫.૧૩ કરોડના યોજનાકીય લાભો માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મારફત પસંદગી
સામાજીક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની પસંદગી કરવા માટે આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે અને રાજ્ય કક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝડ ડ્રો ગાંધીનગર ખાતે યોજાયો હતો.
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની ભારત સરકારના NSFDC નવી દિલ્હીના સહ્યોગી યોજનાઓમાં ટ્રેક્ટર વીથ ટ્રોલી યોજનામાં ૧૧૯ લાભાર્થીઓને રૂ.૮.૪૮ કરોડ, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં ૨૨ લાભાર્થીઓને ૧.૩૬ કરોડ અને થ્રી વ્હીલરની યોજનાઓમાં ૨૭૩ લાભાર્થીઓને રૂ.૫.૫૭ કરોડ એમ મળીને કુલ રકમ રૂ.૧૫.૪૧ કરોડના ધિરાણ માટે કુલ ૪૧૪ લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આ સાથે રાજ્ય સરકાર સાયિત યોજનાઓમાં થ્રી વ્હીલરની યોજનાઓમાં રકમ રૂ.૯૭૨ કરોડના ધિરાણ માટે કુલ ૩૮૯ લાભાર્થીઓની પસંદગી કરવા કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આમ, બન્ને યોજનાઓ મળીને કુલ ૮૦૩ લાભાર્થીઓને કુલ રકમ રૂ.૨૫.૧૩ કરોડનું ધિરાણ કરવા માટે ડ્રો યોજાયો હતો.
તે ઉપરાંત ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર મારફત ધિરાણ પામેલ લાભાર્થીઓને વસુલાતના હપ્તા ભરવા માટે ઘરે બેઠા ઓનલાઈન પોતાના મોબાઈલથી વસુલાતનો હપ્તો ભરી શકે તે માટે પેમેન્ટ ગેટ-વેની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનો પણ આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સુનયના તોમર, IAS, નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી પ્રકાશ સોલંકી, IAS (નિવૃત્ત). અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી રચિત રાજ, IAS તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.