રાજપીપળા સંતોષ ચોકડી પાસે ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી રોડ પર વહેતા સ્થાનિકો માં રોગચાળાનો ભય
વારંવાર રજૂઆત બાદ પણ છેલ્લા ત્રણેક મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટર નું કોઈજ નિરાકરણ નહિ આવતા સ્થાનિક વેપારીઓ અકળાઈ ઉઠ્યા, કામ કરનાર કોન્ટ્રાકટર કામ પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક કરવાનું હોય અને ત્યારબાદ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયા પહેલાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠયા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ઘણા વિકાસનાં કામો થયા જેમાં ગેસ લાઈન અને ભૂગર્ભ ગટર લાઇન ની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી ત્યાં કેટલાક વિસ્તારનાં ભૂગર્ભ ગટર લાઇન લીકેજની બુમ ઉઠતા કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે.
રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે આવેલ હનુમાન મંદિર થી પોસ્ટ ઓફિસ જવાન માર્ગ પર બે ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી લીકેજ થઈ રસ્તા પર વહે છે અને બાજુમાં આવેલ કોમ્પલેક્ષ માં આવતા જતા ગ્રાહકો અને વેપારીઓ પણ આ ગંદા પાણીનાં કારણે હેરાન થઈ રહ્યા છે.
જોકે આ મુદ્દે સ્થાનિકોએ પાલિકામાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ પાલીકા સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ જે કોન્ટ્રાક્ટરે આ કામગીરી કરી છે એ આખી પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક સોંપતા હોય છે અને ત્યારબાદ પણ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયું નથી ત્યાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે બે ત્રણ મહિનાથી રોડ પર નિકળતાં આ ગંદા પાણીથી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ..? માટે જે તે જવાબદારો આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવી લોકોને રોગચાળાનાં ભય થી મુક્ત કરાવે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.