રાજપીપળા સંતોષ ચોકડી પાસે ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી રોડ પર વહેતા સ્થાનિકો માં રોગચાળાનો ભય
વારંવાર રજૂઆત બાદ પણ છેલ્લા ત્રણેક મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટર નું કોઈજ નિરાકરણ નહિ આવતા સ્થાનિક વેપારીઓ અકળાઈ ઉઠ્યા, કામ કરનાર કોન્ટ્રાકટર કામ પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક કરવાનું હોય અને ત્યારબાદ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયા પહેલાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠયા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ઘણા વિકાસનાં કામો થયા જેમાં ગેસ લાઈન અને ભૂગર્ભ ગટર લાઇન ની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી ત્યાં કેટલાક વિસ્તારનાં ભૂગર્ભ ગટર લાઇન લીકેજની બુમ ઉઠતા કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે.
રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે આવેલ હનુમાન મંદિર થી પોસ્ટ ઓફિસ જવાન માર્ગ પર બે ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી લીકેજ થઈ રસ્તા પર વહે છે અને બાજુમાં આવેલ કોમ્પલેક્ષ માં આવતા જતા ગ્રાહકો અને વેપારીઓ પણ આ ગંદા પાણીનાં કારણે હેરાન થઈ રહ્યા છે.
જોકે આ મુદ્દે સ્થાનિકોએ પાલિકામાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ પાલીકા સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ જે કોન્ટ્રાક્ટરે આ કામગીરી કરી છે એ આખી પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક સોંપતા હોય છે અને ત્યારબાદ પણ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયું નથી ત્યાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે બે ત્રણ મહિનાથી રોડ પર નિકળતાં આ ગંદા પાણીથી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ..? માટે જે તે જવાબદારો આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવી લોકોને રોગચાળાનાં ભય થી મુક્ત કરાવે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.