ક્રિસમસના દિવસે ગોવામાં હ્રદયદ્રાવક અકસ્માત, પ્રવાસીઓથી ભરેલી બોટ દરિયામાં પલટી
ક્રિસમસના દિવસે ગોવામાં એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર છે. ઉત્તર ગોવાના દરિયામાં પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે.
પ્રવાસન માટે ભારતના પ્રખ્યાત રાજ્ય ગોવામાં દુર્ઘટનાના ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ઉત્તર ગોવાના કાલંગુટ બીચ પાસે એક પ્રવાસી બોટ દરિયામાં પલટી ગઈ છે. આ ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપી છે કે ગોવાના દરિયામાં બોટ પલટી જવાની આ ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે. રેસ્ક્યુ ઓપરેશનમાં ઓછામાં ઓછા 20 લોકોને બચાવી લેવાયા છે.
"મુંબઈમાં ૯૦ વર્ષ જૂના જૈન મંદિરના ધ્વંસથી જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. BMC ની કાર્યવાહી અને ધાર્મિક સંવેદનશીલતાનો મુદ્દો જાણો."
મધ્ય પ્રદેશની BJP MLA ઉષા ઠાકુરે લોકતંત્રને વેચનારા લોકોને ઊંટ, ઘેટા-બકરાં, કુતરા અને બિલાડાના રૂપમાં પુનર્જન્મ લેતા કહ્યા છે. આ નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ પર સીલ લગાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં આ મોટી કાર્યવાહી જાણો.