ક્રિસમસના દિવસે ગોવામાં હ્રદયદ્રાવક અકસ્માત, પ્રવાસીઓથી ભરેલી બોટ દરિયામાં પલટી
ક્રિસમસના દિવસે ગોવામાં એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર છે. ઉત્તર ગોવાના દરિયામાં પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે.
પ્રવાસન માટે ભારતના પ્રખ્યાત રાજ્ય ગોવામાં દુર્ઘટનાના ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ઉત્તર ગોવાના કાલંગુટ બીચ પાસે એક પ્રવાસી બોટ દરિયામાં પલટી ગઈ છે. આ ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપી છે કે ગોવાના દરિયામાં બોટ પલટી જવાની આ ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે. રેસ્ક્યુ ઓપરેશનમાં ઓછામાં ઓછા 20 લોકોને બચાવી લેવાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર (23 ફેબ્રુઆરી) થી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની ત્રણ દિવસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કરશે.
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશની પ્રતિષ્ઠિત એર ઈન્ડિયા કંપનીના ગેરવહીવટ પર ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું.