ઉધના અને નિયોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના તાપ્તી વેલી (ટીવી) વિભાગ પર ઉધના અને નિયોલ વચ્ચે રોડ ફ્લાયઓવર માટે ખુલ્લા વેબ ગર્ડર માટે 29 સપ્ટેમ્બર, 2023ના રોજ 13.25 કલાકથી 17.25 કલાક સુધીના ચાર કલાકના બ્લોકને કારણે, કેટલીક ટ્રેનોનું નિયમન કરવામાં આવશે.
પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનોની વિગતો આ મુજબ છે.
1. ટ્રેન નંબર 19007 સુરત-ભુસાવલ પેસેન્જર 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 22948 ભાગલપુર-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 કલાક 10 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
1. ટ્રેન નંબર 09378 નંદુરબાર-ઉધના મેમુ ગંગાધરા ખાતે સમાપ્ત થશે અને ગંગાધરાથી બદલામાં, ટ્રેન નંબર 09095 સુરત-નંદુરબાર મેમુ X તરીકે ચાલશે.
તેથી, ટ્રેન નંબર 09378 નંદુરબાર-ઉધના મેમુ ગંગાધરા અને ઉધના વચ્ચે આંશિક રીતે રદ રહેશે, જ્યારે ટ્રેન નંબર 09095 સુરત-નંદુરબાર મેમુ સુરત અને ગંગાધરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત વ્યવસ્થાને ધ્યાનમાં રાખો.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.