લખનઉ ડિવિઝન માં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
1. 21, 28 માર્ચ અને 4, 11, 18, 25 એપ્રિલ 2025 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ રદ રહેશે.
2. 24, 31 માર્ચ અને 7, 14, 21, 28 એપ્રિલ 2025 ના રોજ ભાગલપુરથી ચાલનારી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ રદ રહેશે.
3. 21,28 માર્ચ અને 4,11,18, 25 એપ્રિલ 2025 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ રદ રહેશે.
4. 24,31 માર્ચ અને 7,14,21, 28 એપ્રિલ 2025ના રોજ દરભંગાથી ચાલનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
1. 22,24,29,31 માર્ચ અને 5,7,12,14,19,21,26,28 એપ્રિલ 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બુઢવલ-લખનઉ-કાનપુર સેન્ટ્રલ-કાસગંજને બદલે પરિવર્તિત માર્ગ વાયા બુઢવલ-સીતાપુર સિટી-શાહજહાંપુર-કાસગંજ ના રસ્તે ચાલશે.
2. 20,27 માર્ચ અને 3,10,17,24 એપ્રિલ 2025 ના રોજ મુઝફ્ફરપુરથી ચાલનારી ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોરખપુર-લખનઉ-કાનપુર સેન્ટ્રલના બદલે છપરા-વારાણસી સિટી-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.
3. 20,27 માર્ચ અને 3,10,17,24 એપ્રિલ 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોરખપુર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ગોરખપુર-ઔંડિહાર-જૌનપુર-જંઘઈ-ફાફામઉ-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ પીએમ મોદીને મળ્યા. આ ઉપરાંત, તેઓ રાયસીના ડાયલોગના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.