ગોથનગામ સ્ટેશન ઉપર નોન ઈન્ટરલોકિંગ કામને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના સૂરત – વડોદરા રેલવે સેક્શન ઉપર ગોથનગામ સ્ટેશન ઉપર ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરને કનેક્શન આપવા માટે નોન ઈન્ટરલોકિંગ કામને લીધે તારીખ 14 અને 15 ઓક્ટોબરના રોજ નીચે જણાવ્યા મુજબની ટ્રેનો પ્રભાવિત રહેશે.
તારીખ 14 અને 15 ઓક્ટોબર ના રોજ ટ્રેન 12656 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ – અમદાવાદ એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ રહેશે.
તારીખ 14 ઓક્ટોબર ના રોજ ટ્રેન 20906 રીવા – એકતાનગર 25 મિનિટ રેગ્યુલેટ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 09161 વલસાડ – વડોદરા રદ્દ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 19101 વિરાર – ભરૂચ સૂરત અને ભરૂચ વચ્ચે રદ્દ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ ટ્રેન 12925 બાન્દ્રા ટર્મિનસ – અમૃતસર એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ ટ્રેન 09079 (69109) ભરૂચ – વડોદરા એક કલાક રિશિડ્યુલ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 09080 વડોદરા – ભરૂચ રદ્દ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 09158 ભરૂચ – સૂરત રદ્દ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 09162 વડોદરા – વલસાડ રદ્દ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 09182 ભરૂચ – સૂરત રદ્દ રહેશે.
યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરી ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.
અમરેલીમાં મોર્ચોથી ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. નવીનતમ સમાચાર, ઘટનાની સંપૂર્ણ વિગતો અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો વાંચો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.