અમદાવાદ મંડળની કેટલીક સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે
ઉત્તર મધ્ય રેલવે પર પ્રયાગરાજ સ્ટેશનના મેજર અપગ્રેડેશનના કામના સંબંધમાં પ્લેટફોર્મ નંબર 4 અને 05 બંધ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ, અમદાવાદ-પટના એક્સપ્રેસ અને અમદાવાદ પટના સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત કરાયેલામાર્ગ પર દોડશે. જેની વિગતો માટે વધુ જાણો.
•14 જૂનથી 19 જુલાઈ, 2024 સુધી, અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે પરિવર્તિત માર્ગ વાયા માણિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી થઈને દોડશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યા છે.
• 12 જૂનથી 24 જુલાઈ 2024 સુધીં દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ છિવકી-માણિકપુર થઈને દોડશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યા છે.
• 16 જૂનથી 21 જુલાઈ 2024 સુધી અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ વાયા માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી-પં. દીનદયાલ ઉપાધ્યાય ના બદલે પરિવર્તિત માર્ગ વાયા માનિકપુર-પ્રયાગરાજ છિવકી-પં. દીનદયાળ ઉપાધ્યાય થઈને ચાલશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે.
• 18 જૂનથી 23 જુલાઈ 2024 સુધી પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ વાયા પં. દીનદયાલ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ- માણિકપુર ના બદલે પં. દીનદયાલ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માણિકપુરના રસ્તે ચાલશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે.
• 12 જૂનથી 24 જુલાઈ 2024 સુધી અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સાપ્તાહિક વિશેષ તેના નિર્ધારિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-પં. દીનદયાલ ઉપાધ્યાય ના બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનઉ-પં.દીનદયાલ ઉપાધ્યાય થઈને ચાલશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે.
અમદાવાદ : ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ અદાણી ફાઉન્ડેશન સાથે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના જન્મદિવસે ગુજરાતના સાંઘીપુરમ પ્લાન્ટ ખાતે અદાણી મેડિકલ સેન્ટરના ઉદ્ઘાટન કરતાં ગૌરવ અનુભવે છે. આ સેન્ટર અબડાસા અને લખપત બ્લોક્સના અંતરિયાળ ગામોના રહીશો માટે પાયાની હેલ્થકેર સુવિધાઓ પૂરી પાડવા માટે પૂરેપૂરી રીતે સજ્જ છે.
નર્મદા જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણના પરિણામે વાલીઓનો વિશ્વાસ વધ્યો છે, આ વાતની સાબિતી આપતા ૪૬૬ બાળકોએ ખાનગી શાળાનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે કરાયેલા પ્રયત્નોનો આ પડઘો છે.
ગુજરાત સરકારે માર્ચમાં ધોરણ 9 થી 12 સુધીની પાત્રતા ધરાવતી કન્યા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે 2 યોજનાઓ શરૂ કરી હતી અને આ યોજનાઓ માટે 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ નોંધણી કરાવી છે.