સોમનાથ મહોત્સવ : મૈસૂર મંજૂનાથની વાયોલીન શૈલીમા તલ્લીન થયા કલારસિકો
મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો.
મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો.
વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ અને શ્રી સુમંત મંજૂનાથે 'હંસધ્વની' રાગથી શરૂ કરીને 'ચારૂકેશી' રાગમાં તાલબદ્ધ રાગ છેડી એક પછી એક અતિસુંદર પ્રસ્તુતીઓ રજૂ કરી હતી.
મૃદંગ મેસ્ટ્રો તરીકે ખ્યાત ડૉ.તીરૂવરૂર ભક્તવત્સલમે બન્ને મહારથીઓનો એવો સાથ આપ્યો હતો કે વાયોલિન સાથે મૃદંગની એક-એક થાપે શ્રોતાઓને તાળીઓ પાડવા પ્રેર્યા હતાં.
શ્રોતાઓએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી 'વૈષ્ણવજન તો તેને રે કહીએ...' , 'સુંદર શંકર શશિશેખરા સોમનાથ ભવ: સહિતની 'શિવસ્તુતિ' અને અન્ય પ્રસ્તુતિઓને એકચિત્તે માણી હતી.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ. (SEIPL) દ્વારા CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન સમારંભ આજે પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે યોજાયું.
ફેક્ટરીમાં ડિટર્જન્ટ, વોશિંગ પાવડર અને સાબુનું ઉત્પાદન થતું હતું. આ માટે વપરાતા એરંડા અને પાઈન તેલના બેરલમાં પણ આગ લાગી અને વિસ્ફોટ થયો. અમિત દવેએ જણાવ્યું હતું કે આગ ઓલવતી વખતે એક ફાયરમેન ઘાયલ થયો હતો.