દક્ષિણ કોરિયાના જંગલોમાં આગ લાગવાથી ભારે હાહાકાર, 16 લોકોના મોત
દક્ષિણ કોરિયામાં શુષ્ક હવામાન અને ભારે પવનને કારણે જંગલમાં આગ લાગી, જેમાં 18 લોકો માર્યા ગયા અને 19 ઘાયલ થયા. 43,000 એકર જમીન બળીને રાખ થઈ ગઈ અને ઘણી ઐતિહાસિક ઇમારતો નાશ પામી.
સિઓલ: દક્ષિણ કોરિયામાં શુષ્ક હવામાન અને ભારે પવન વચ્ચે જંગલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયાના અહેવાલ છે. સરકારી અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે આ ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકો ઘાયલ પણ થયા છે. મંગળવારે એન્ડોંગ અને અન્ય દક્ષિણ શહેરો અને નગરોના અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ જવાનો આદેશ આપ્યો. બીજી તરફ, સૂકા પવનને કારણે લાગેલી આગને કાબુમાં લેવા માટે અગ્નિશામકો સખત મહેનત કરી રહ્યા છે. આગ ઓલવવાનો પ્રયાસ કરતી વખતે એક હેલિકોપ્ટર પણ ક્રેશ થયું.
અહેવાલો અનુસાર, આગને કારણે 43,000 એકરથી વધુ જમીન બળીને રાખ થઈ ગઈ હતી અને 1,300 વર્ષ જૂના બૌદ્ધ મઠ સહિત સેંકડો બાંધકામો નાશ પામ્યા હતા. દક્ષિણ કોરિયાના ગૃહ અને સલામતી મંત્રાલયના જણાવ્યા અનુસાર, એન્ડોંગ, તેના પડોશી શહેરો ઉઇસોંગ અને સેનસેઓંગ અને ઉલ્સાન શહેરમાં 5,500 થી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. આ એવા વિસ્તારો છે જે આગથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. કોરિયા હેરિટેજ સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉઇસોંગમાં લાગેલી આગને કારણે સાતમી સદીના ગોયુન્સા બૌદ્ધ મઠ રાખ થઈ ગયો હતો.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."
"અમેરિકામાં 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 188 કંપનીઓ નાદાર થઈ, જે 15 વર્ષનો રેકોર્ડ તોડે છે. મોંઘવારી, ટેરિફ વોર અને ઊંચા વ્યાજ દરોના કારણે મંદીનો ખતરો વધ્યો છે. વધુ જાણો."
"પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતની પાણી વિવાદ પર તાકાતથી જવાબ આપવાનું વચન આપ્યું છે. સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની ભારતની કાર્યવાહીએ પાકિસ્તાનને ગુસ્સામાં કરી દીધું છે. જાણો સંપૂર્ણ વિવરણ."