સંત નિરંકારી મંડળ દ્વારા વિશેષ રક્ત દાન શિબિર અને સત્સંગ નું આયોજન ‘ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગ થી ૧૪૩ યુનિટ એકત્ર કરાયું’
સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ ના આશીર્વાદ થી સંત નિરંકારી મંડળ દ્વારા આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ બ્રાંચ, રામદેવનગર કેમ્પસ ખાતે રવિવાર તારીખ ૨૪.૦૯.૨૦૨૩ ના રોજ એક રક્ત દાન શિબિરનું આયોજન કરી ૧૪૩ યુનિટ એકત્ર કરી ને માનવ કલ્યાણ હેતુ એકત્ર કરીને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ને આપવામાં આવ્યું હતું.
અમદાવાદ: સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્વાદથી સંત નિરંકારી મંડળ દ્વારા આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ બ્રાંચ, રામદેવનગર કેમ્પસ ખાતે રવિવાર તારીખ ૨૪.૦૯.૨૦૨૩ ના રોજ એક રક્ત દાન શિબિરનું આયોજન કરી ૧૪૩ યુનિટ એકત્ર કરીને માનવ કલ્યાણ હેતુ એકત્ર કરીને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને આપવામાં આવ્યું હતું.
નિરંકારી સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા માનવ કલ્યાણ માટે નું ‘સર્વોત્તમ કાર્ય’ નું આયોજન સંત નિરંકારી મિશન દ્વારા ભારત તેમજ વિશ્વભર ના અનેક જગ્યાઓ પર વર્ષો વર્ષ થી કરવામાં આવી રહ્યું છે. સંત નિરંકારી મંડળ, અમદાવાદ દ્વારા આ વર્ષ દરમ્યાન યોજવા માં આવેલ ચૌથી રક્તદાન શિબિર હતી.
આ રક્તદાન ના કાર્યક્રમનાં અને તેના સંદર્ભમાં જન-જાગૃતિ માટે તા. ૨૩.૦૯.૨૦૨૩ ના રોજ આનંદનગર/ પ્રહલાદનગર વિસ્તારને આવરી લઈને માં એક બાઈક-રેલી નું આયોજન પણ કરવા આવ્યું હતું. રેલી દરમ્યાન સંત નિરંકારી મંડળ ના શ્રદ્ધાળુ ભક્તો દ્વારા એક નુક્કડ નાટક નું પણ આયોજન પણ કરવા આવ્યું હતું.
રક્તદાન શિબિર ની સાથે-સાથે આનંદ નિકેતન સ્કૂલના હોલ માં એક સત્સંગ નું આયોજન કરવા માં આવ્યું હતું. સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના રક્તદાન અંગે ના સંદેશને આવરી લઇ ને અમદાવાદના ઝોનલ ઇન્ચાર્જ ધર્મપાલ મોટવાની જી એ કહ્યું કે એક સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું રક્તદાન ત્રણ વ્યક્તિઓ ની જાન બચાવી શકે છે. સત્સંગ માં પધારેલ શ્રદ્ધાળુ ભક્તોને સંબોધતા તેમણે કહ્યું કે જે પ્રભુ પરમાત્મા ની પૂજા અને ભક્તિ કરવાની છે એની જાણકારી હોવી જરૂરી છે અને એની ઓળખ આ માનવ યોની માં જ સંભવ છે. આ નિરાકાર પ્રભુ પરમાત્મા ની જાણકારી સતગુરુ ની શરણ માં જઈ ને જ પ્રાપ્ત કરી શકાય જેથી તમારો મનુષ્ય જન્મ ફોક ના જાય. સત્સંગ અને રક્તદાન શિબિરમાં પધારેલ ભક્તો માટે સંત નિરંકારી મંડળ ની બોપલ બ્રાંચ દ્વારા લંગર પ્રસાદી ની ઉત્તમ વ્યવસ્થા કરવામાં
આવી હતી.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.