GPCB ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે અનાવરણ કરાયું
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હસ્તકની તમામ પ્રાદેશિક કચેરીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રીઓ દ્વારા બોર્ડની વિશેષ કામગીરી અંગે મંત્રીશ્રીઓને અવગત કરવા કરવામાં આવ્યા હતા અને તમામ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીઓ દ્વારા અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ શ્રી આર.બી.બારડ, સભ્ય સચિવ શ્રી ડી.એમ.ઠાકર સહિત પ્રાદેશિક કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમ જેમ નવરાત્રિનો વાઇબ્રન્ટ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ, અમદાવાદમાં ખૂબ જ અપેક્ષિત ગરબાની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
પરંપરાગત જામખંભાળિયા ઘીના બદલે અમૂલ ઘીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપોને પગલે ડાકોર મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અંગેનો વિવાદે ધ્યાન ખેંચ્યું છે.
અમદાવાદમાં, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ વધુને વધુ સ્કૂટર અને 125 સીસી સ્પોર્ટ બાઈકની સવારી કરીને શાળાએ જતા હોવાના કારણે એક સંબંધિત વલણ ઉભરી આવ્યું છે,