હરિયાણાના મેવાતમાં સરઘસ પર પથ્થરમારો, બે જૂથો વચ્ચે અથડામણ, વાહનોમાં આગચંપી અને તોડફોડ
હરિયાણાના નૂહમાં સોમવારે એક સરઘસ પર પથ્થરમારો થયા બાદ તણાવ સર્જાયો છે. બજરંગ દળ દ્વારા આ સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી બંને જૂથો સામસામે આવી ગયા હતા. તેઓએ વાહનોને આગ ચાંપી હતી અને ભારે તોડફોડ કરી હતી.
હરિયાણાના નૂહમાં સોમવારે એક સરઘસ પર પથ્થરમારો થયા બાદ તણાવ સર્જાયો છે. બજરંગ દળ દ્વારા આ સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી બંને જૂથો સામસામે આવી ગયા હતા. તેઓએ વાહનોને આગ ચાંપી હતી અને ભારે તોડફોડ કરી હતી. મળતી માહિતી મુજબ, નુહના નગર મંદિરથી બ્રજમંડલ યાત્રા શરૂ થતાં જ ખેડલા ગામ પાસે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બંને પક્ષના લોકો ઉશ્કેરાયા હતા. બંને જૂથો વચ્ચે ભારે મારામારી થઈ હતી. તેઓએ વાહનોને આગ ચાંપી હતી અને ભારે તોડફોડ કરી હતી.
આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. હાલમાં કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલા વાહનોને નુકસાન થયું છે તેની માહિતી મળી નથી. નેશનલ હાઈવે નંબર 248 પર એક તરફ પોલીસ છે અને બીજી તરફ ખાસ સમુદાયના લોકો ઉભા છે. બદમાશો દરેક પસાર થતા વાહન પર પથ્થરમારો કરી રહ્યા છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવા પર વિચાર કરી રહ્યું છે.
વાસ્તવમાં રાજસ્થાનમાં જુનૈદ નસીર હત્યા કેસના આરોપી મોનુ માનેસરે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે મેવાત આવીને યાત્રામાં સામેલ થવાની વાત કરી હતી. કેટલાક લોકો બે દિવસથી આ વીડિયોનો વિરોધ કરી રહ્યા હતા. લોકોએ મોનુ માનેસરના વીડિયોને પડકાર તરીકે લીધો હતો. બજરંગ દળની ભગવા યાત્રા મેવાતના નલ્હદ મહાદેવ મંદિરથી શરૂ થઈને નુહ ઝંડા પાર્ક પહોંચી કે તરત જ બે જૂથોએ પથ્થરમારો શરૂ કરી દીધો. બંને જૂથો સામસામે અથડાયા હતા અને વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી હતી. વિસ્તારમાં તંગદિલી પ્રસરી જતાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ થયા છે.
ખરેખર, ભરતપુર જિલ્લાના ઘાટમીકા ગામના બે મુસ્લિમ યુવકોને બોલેરોમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ કેસમાં મોનુ માનેસર છેલ્લા 5 મહિનાથી ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. વીડિયો જાહેર કરીને મોનુ માનેસરે લોકોને મેવાતમાં યોજાનારી મેગા રેલીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે તે પોતે આ રેલીમાં ભાગ લેશે.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.