જાપાનમાં તીવ્ર ભૂકંપના આંચકા, તીવ્રતા 7.1 હતી; સુનામીનો ખતરો
જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકા દક્ષિણ જાપાનમાં અનુભવાયા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
Earthquake In Japan: જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી છે. ભૂકંપના કારણે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. દક્ષિણ જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અમેરિકન જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)ના જણાવ્યા અનુસાર, ગુરુવારે જાપાનના દક્ષિણી દ્વીપ ક્યુશુમાં એક પછી એક બે મોટા ભૂકંપ આવ્યા. પહેલો ભૂકંપ 6.9ની તીવ્રતાનો હતો. તેના થોડા સમય પછી, બીજો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 7.1 હતી. જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહીમે, કાગોશિમા અને આઈતામાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
ધરતીકંપને તીવ્રતાના હિસાબે અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવે છે. 2.5 થી 5.4ની તીવ્રતાવાળા ધરતીકંપો ગૌણ શ્રેણીમાં આવે છે. 5.5 થી 6 ની તીવ્રતાવાળા ભૂકંપને હળવો ખતરનાક ધરતીકંપ માનવામાં આવે છે, જેમાં નજીવા નુકસાનની સંભાવના હોય છે. જો 6 થી 7ની તીવ્રતાનો ભૂકંપ આવે તો નુકસાન થવાની સંભાવના પણ વધી જાય છે. 7 થી 7.9ની તીવ્રતાના ધરતીકંપને ખતરનાક માનવામાં આવે છે. આ તીવ્રતાના ધરતીકંપના કારણે ઈમારતોમાં તિરાડો પડવાની કે તે પડી જવાની સંભાવના છે. આની ઉપરની તીવ્રતા ધરાવતા તમામ ધરતીકંપોને અત્યંત જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
ઇસ્તંબુલના ઉમરાનીયે જિલ્લામાં એક દુ:ખદ ગોળીબારની ઘટનામાં એક મહિલા પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું અને હુમલાખોર સહિત ત્રણ અન્ય ઘાયલ થયા હતા
બાંગ્લાદેશ સરકારે દુર્ગા પૂજા ઉત્સવ પહેલા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં અપેક્ષિત માંગને પહોંચી વળવા 3,000 ટન હિલ્સા માછલીની નિકાસની મંજૂરી આપવામાં આવી છે
ક્વાડ દેશોએ તેમની તાજેતરની સમિટ દરમિયાન યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને ગાઝામાં માનવીય સંકટ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા અને પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ સહિત યુએન ચાર્ટરના સિદ્ધાંતોનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.