સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે યોજાયેલ ડાક ચૌપાલની સફળતા પૂર્વક સમાપ્તિ
નાગરિકોને સરકારની સેવાઓ તેમના ઘરે પહોંચાડવાના હેતુથી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ગાંધીનગરમાં "ડાક ચૌપાલ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ડિજિટલ ઈન્ડિયા, નાણાકીય સમાવેશ અને અંત્યોદય સુધી પહોંચવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ સાથે, "ડાક ચૌપાલ" કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ ગાંધીનગરમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે, મંત્રીએ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી લોક કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કર્યા અને મહિલાઓને સમ્માન બચત સર્ટિફિકેટ આપ્યા.
સ્વાતંત્ર્ય દિવસના અવસર પર, 15 ઓગસ્ટના રોજ, પોસ્ટલ વિભાગ ગુજરાતના દરેક ગામમાં બ્રાન્ય પોસ્ટ ઓફિસમાં ધ્વજવંદન અને ડાક ચૌપાલનું આયોજન કરશે, જ્યાં નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઓફર કરાતી વિવિધ જન કલ્યાણ સેવાઓ વિશે માહિતી આપવામાં આવશે. – એમ શ્રી પિયુષ રાજક, વરિષ્ઠ અધિક્ષક, ગાંધીનગર ડાક મંડળ વિભાગે જણાવ્યું.
આ પ્રસંગે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પોસ્ટલ વિભાગે પોતાની સેવાઓને આધુનિક બનાવવાના પ્રયત્નો અને તેની પહોંચને વિસ્તૃત કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો પર પ્રદર્શન અને ચર્ચા પણ કરવામાં આવી હતી. "નાગરિકોના દરવાજે સરકારી સેવાઓ લાવવી"ના હેતુ સાથે પોસ્ટલ વિભાગની પહેલ નાગરિક કેન્દ્રિત સેવાઓ જેમ કે નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક, ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT), ઇ-કોમર્સ અને નિકાસ સેવાઓ વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
"ડાક ચૌપાલ" દ્વારા સરકારી કલ્યાણ યોજનાઓ અને તેમના લાભો પોસ્ટ ઓફિસો દ્વારા જાહેરમાં પહોંચાડવામાં આવે છે. ભારત પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સાથે, પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો (ગ્રામીણ પોસ્ટલ કર્મચારીઓ) હવે મોબાઇલ બેંક તરીકે કામ કરી રહ્યા છે, જે નાણાકીય સેવાઓ સીધી નાગરિકોના ઘરે લાવી રહ્યા છે. – એમ શ્રી કૃષ્ણકુમાર યાદવ, પીએમજી મુખ્યાલય ક્ષેત્રે જણાવ્યું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.