જનસેવાના અડગ નિર્ધાર સાથે વડોદરા જિલ્લાના ૨૦૪ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સફળ ભ્રમણ
આજે વડોદરા જિલ્લાના આઠેય તાલુકાના ૧૬ ગામમાં પરિભ્રમણ કરી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારશે.
વડોદરા : ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના ધ્યેયને સાકાર કરવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લામાં સતત આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી આ યાત્રા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડી રહી છે અને વંચિત લાભાર્થીઓને આવરી રહી છે.
વડોદરા જિલ્લામાં તા. ૩૦ નવેમ્બરથી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અત્યાર સુધીમાં કુલ ૨૦૪ ગામોમાં સફળ પરિભ્રમણ કરી ચૂકી છે. તા. ૧૪ ડિસેમ્બરે એટલે કે આજે આ યાત્રા આઠેય તાલુકાના ૧૬ ગામમાં પરિભ્રમણ કરશે. વડોદરા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને આવરી લેતી આ યાત્રામાં રથો તેના નિયત રૂટ મુજબ પરિભ્રમણ કરી રહ્યાં છે, જે અંતર્ગત આજે કરજણ તાલુકાના ધાવટ, કુરાલી; શિનોર તાલુકાના સુરાશામળ, મિઢોળ; સાવલી તાલુકાના ભાટપુરા (સા), રાધનપુરા; ડેસર તાલુકાના મોટી વરણોલી, માણેકલા જૂથ; ડભોઈ તાલુકાના પુડા, ગોજાલી; વાઘોડીયા તાલુકાના જેસીગપુરા, બાકરોલ; પાદરા તાલુકાના ભદારી, અંબાડા તેમજ વડોદરા તાલુકાના અંકોડીયા, કરચીયા ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરશે.
મહત્વનું છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના પ્રત્યેક લાભાર્થી સુધી સરકારની જનહિતકારી યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. જેના થકી લોકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત થઇ રહ્યા છે. જનસેવાનું માધ્યમ બની ચૂકેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વડોદરા જિલ્લામાં ગામેગામ ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.