ટાટા કેમિકલ્સે સોમન નાયરના સન્માનમાં 22મી ઓખામંડળ સાઇક્લોથોનનું આયોજન કર્યું
ટાટા કેમિકલ્સ લિમિટેડે ઓળામંડળના રહેવાસીઓ અને ટાટા કેમિકલ્સના કર્મચારીઓ માટે શ્રી કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડળ સાઇક્લોથોનની 22મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સના ભૂપપૂર્વ કર્મચારી સ્વ. કે એસ સોમશેખરન નાયરને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલી અપાઇ હતી.
મીઠાપુર/ ઓખામંડળ : ટાટા કેમિકલ્સ લિમિટેડે ઓળામંડળના રહેવાસીઓ અને ટાટા કેમિકલ્સના કર્મચારીઓ માટે શ્રી કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડળ સાઇક્લોથોનની 22મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સના ભૂપપૂર્વ કર્મચારી સ્વ. કે એસ સોમશેખરન નાયરને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલી અપાઇ હતી. તેઓ પ્રેમથી સોમન નાયર તરીકે જાણીતા હતાં અને મીઠાપુર પ્લાન્ટમાં વર્ષ 1984થી 1987 સુધી એસ્ટેટ અને સિક્યુરિટી ઓફિસર તરીકે સેવા આપી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સુખાકારી અને સક્રિયજીવન શૈલીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો, જે સ્થાનિક સમુદાય વચ્ચે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની કંપનીની કટીબદ્ધતા દર્શાવે છે.
મીઠાપુરના વરિષ્ઠ નાગરિકે ઓળામંડળમાં સાઇક્લોથોજીને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં 141 સાઇકલ સવારોએ 42 કિમીના ટ્રેક ઉપર સ્પર્ધા કરી હતી. સાઇક્લોથોનમાં નોંધપાત્ર સહભાગીતો જોવા મળી હતી, જેમાં કુલ 310 લોકો સહભાગી થયાં હતાં અને તેમાં ટાટા કેમિકલ્સના 137 કર્મચારીઓ સામેલ હતાં. ભાવેશ સુમણિયાએ 1:28:04 સમયમાં રેસ પૂર્ણ કરીને વિજય મેળવ્યો હતો. પ્રતાપ માણેક પ્રથમ રનર-અપ અને ધર્મેન્દ્ર ઘેડિયા બીજા રનર-અપ બન્યાં હતાં.
ઇવેન્ટ દરમિયાન, ટાટા કેમિકલ્સ લિમિટેડના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર એન. કામથે જણાવ્યું હતું, “ટાટા કેમિકલ્સના ભૂતપૂર્વ કર્મચારી શ્રી કે એસ સોમશેખરન નાયર વર્ષો પછી પણ સ્થાનિક સમુદાય દ્વારા સન્માનિત છે. તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને ખંત માટે તેમને પ્રેમથી યાદ કરવામાં આવે છે. આ સાઇક્લોથોન દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયેલા લોકોને જોવું ખરેખર હૃદયસ્પર્શી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, વાર્ષિક ધોરણે આ કાર્યક્રમનું આયોજન કરવા માટેની મૂળભૂત પ્રેરણાઓમાંની એક સ્થાનિક લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે જાગૃતિ લાવવાનો છે. સમુદાય તરફથી અમને મળેલા સમર્થનની ખૂબ પ્રશંસા કરીએ છીએ, જેમણે આ કાર્યક્રમની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
સાઇક્લોથોનના વિજેતા ભાવેશ સુમાણિયાએ કહ્યું હતું કે, “શ્રી કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડળ સાઇક્લોથોનમાં ભાગ લેવો એ સન્માનની વાત છે. ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે સમુદાયને એકસાથે લાવવાની આ ઇવેન્ટ એક સરસ રીત છે. અમને આ તક આપવા અને આવા કાર્યક્રમોનું આયોજન કરવા બદલ અમે ટાટા કેમિકલ્સ લિમિટેડની ટીમના આભારી છીએ.”
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.