પુલવામામાં આતંકીઓએ એક પરપ્રાંતિય મજૂરની હત્યા કરી
છેલ્લા 24 કલાકમાં પુલવામામાં આ બીજો આતંકી હુમલો હતો. ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ વાનીને રવિવારે ઈદગાહ વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે ત્રણ ગોળી વાગી હતી.
કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ એક પરપ્રાંતિય મજૂરની હત્યા કરી નાખી છે. નૌપારા વિસ્તારમાં આતંકીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો. મૃતકનું નામ મુકેશ હોવાનું અને તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું કહેવાય છે.
પોલીસે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે ઉત્તર પ્રદેશના એક પરપ્રાંતિય કામદારની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં પુલવામામાં આ બીજો આતંકી હુમલો હતો. ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ વાનીને રવિવારે ઈદગાહ વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે ત્રણ ગોળી વાગી હતી.
હુમલા બાદ સુરક્ષા દળોએ પુલવામા અને જમ્મુ-કાશ્મીરના અન્ય ભાગોમાં વાહનો અને રાહદારીઓનું ચેકિંગ વધારી દીધું છે. શ્રીનગરના તમામ મુખ્ય આંતરછેદો તેમજ શહેરની બહારના રસ્તાઓ પર મોબાઈલ વાહન ચેકપોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.
પુષ્પા-2 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. અલ્લુ અર્જુનની ફિલ્મને લઈને ભારે ચર્ચા છે. શરૂઆતમાં આ પિક્ચર 15 ઓગસ્ટે રિલીઝ થવાનું હતું, પરંતુ કામ પૂરું ન થવાને કારણે તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી.
ભારતીય સુપરસ્ટાર અને ગ્લોબલ આઇકન શાહરૂખ ખાનને લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલની 77મી આવૃત્તિમાં ફેસ્ટિવલના કરિયર અચીવમેન્ટ એવોર્ડ, પ્રતિષ્ઠિત પાર્ડો અલા કેરીએરા એસ્કોના-લોકાર્નો ટુરિઝમથી સન્માનિત કરવામાં આવશે.
વાશુ અને જેકી ભગનાનીનું પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈનમેન્ટ આ દિવસોમાં મુશ્કેલીમાં છે. તાજેતરમાં, વાશુ અને જેકીને ક્રૂના પગાર અટકાવવા અને રૂ. 250 કરોડની લોનની અફવાઓને લઈને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો