કૃષિ નિયામકે ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ સહિત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું
રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે વડોદરા જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત લઈ કૃષિ પ્રદર્શન નિહાળ્યું.
વડોદરા : રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના તમામ આઠેય તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે આઠેય તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત લઈ કૃષિ પ્રદર્શન નિહાળ્યું હતું. જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા તાલુકા કક્ષાએ ખેડૂત મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કૃષિ નિયામકશ્રી એસ.જે.સોલંકીએ એ.પી.એમ.સી., સયાજીપૂરા ખાતે આયોજિત કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ સહિત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.શ્રી સોલંકીએ ખેડૂતોને ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય, ખાતર અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કેમ કરવો, કૃષિ મહોત્સવનું મહત્વ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓ નો લાભ કેવી રીતે લઇ શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કૃષિ સહાય યોજનાને લગતા પ્રશ્નો, કૃષિ પેદાશોનાં ભાવ, ખેતી માટે વીજળીકરણ, સુક્ષ્મ પિયત પદ્ધતિ, ઉભા પાકનાં સંરક્ષણ અંગે જંગલી પ્રાણીઓ નીલગાય, ભુંડ તથા દિપડા વગેરે જેવા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટેની માહિતી આપી હતી.
એ.પી.એમ.સી. ખાતે બીજા દિવસે સ્ટોલ મુલાકાત કરી રહેલા ખેડુતો સાથે પણ તેમણે ખેતી વિષયક વાર્તાલાપ કર્યો હતો. કૃષિ સહાયનાં મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું. ખેતી નિયામક સાથે વિભાગીય વડા સંયુક્ત ખેતી નિયામક(વિ)શ્રી એમ.એમ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નિતિનભાઇ વસાવા, નાયબ ખેતી નિયામકશ્રી(વિ) શ્રી ચિરાગભાઇ એન.પટેલ, નાયબ ખેતી નિયામક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી જિતેંદ્રભાઇ ચારેલ, મદદનીશ ખેતી નિયામકશ્રી, ખેતીવાડી અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારી(ખેતી), ગ્રામસેવકો અને ખેડૂતો હાજર રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.