ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમીને મળી રેલ મંત્રી રાજભાષા ટ્રોફી
27/09/2023 ની તારીખે રેલવે મંત્રાલય રેલવે બોર્ડ નવી દિલ્લીમાં આયોજિત રાજભાષા પખવાડીયા સમાપન અને પુરસ્કાર વિતરણ સમારંભમાં ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી, વડોદરાને રાજભાષાના અમલમાં ઉત્કૃષ્ટ કામ અને કાર્યપાલન માટે કેન્દ્રીય પ્રશિક્ષણ સંસ્થાનોની રેલ મંત્રી રાજભાષા રનિંગ ટ્રોફી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી.
7/09/2023 ની તારીખે રેલવે મંત્રાલય રેલવે બોર્ડ નવી દિલ્લીમાં આયોજિત રાજભાષા પખવાડીયા સમાપન અને પુરસ્કાર વિતરણ સમારંભમાં ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી, વડોદરાને રાજભાષાના અમલમાં ઉત્કૃષ્ટ કામ અને કાર્યપાલન માટે કેન્દ્રીય પ્રશિક્ષણ સંસ્થાનોની રેલ મંત્રી રાજભાષા રનિંગ ટ્રોફી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી. એકેડેમીને આ પુરસ્કાર મહાનિર્દેશક રેલવે બોર્ડ શ્રી મોહિત સિન્હાના વરદ હસ્તે આપવામાં આવ્યો.
એકેડેમી તરફથી શ્રી પ્રમોદ ગુપ્તા સિનિયર પ્રોફેસર ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ એ પુરસ્કાર સ્વીકાર કર્યો. આ ઉપલબ્ધિ માટે એકેડેમીના ઉપ મહાનિર્દેશક શ્રી રાકેશ રાજપુરોહિતજીએ મુખ્ય રાજભાષા અધિકારી ડૉ. હેમંત કાંગરા, રાજભાષા વિભાગના સમસ્ત ફેકલ્ટી સભ્યો અને અધિકારીઓ તથા કર્મચારીઓને હાર્દિક શુભકામનાઓ આપી.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે નવો ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ 2025 સરકારને સુનાવણી, પુરાવા અથવા અપીલ વિના વિદેશીઓને હેરાન કરવાની, કેદ કરવાની અને દેશનિકાલ કરવાની સત્તા આપે છે. તેમણે તેને ગેરબંધારણીય, ખતરનાક અને સરમુખત્યારશાહી ગણાવી છે.
દિલ્હીના સીલમપુરમાં ૧૭ વર્ષના કુણાલની હત્યાના મામલે સનસનાટી મચી ગઈ છે. પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન, તેને મોટી સફળતા મળી છે. પોલીસે પોતાને લેડી ડોન કહેતી ઝીકરા સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે.
રાજસ્થાનના રાજસમંદમાં ટ્રક-બસની ભયાનક ટક્કરમાં 37 લોકો ઇજાગ્રસ્ત, 5ની હાલત ગંભીર. અકસ્માતની વિગતો, વાયરલ વીડિયો અને રાહત કાર્યની તાજી માહિતી જાણો.