કારોડા બ્રહ્મભટ્ટ સમાજની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
કારોડા બ્રહ્મભટ્ટ સમાજ ની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી ના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારોડા ગામે તા.૧૪-૧૫/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયો
કારોડા બ્રહ્મભટ્ટ સમાજની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારોડા ગામે તા.૧૪-૧૫/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયો, આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કારોડા બ્રહ્મભટ્ટ સમાજના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો.આ સમગ્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગામમાં રહેતા તથા બહારગામ રહેતા ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવ્યું, ગામના વડીલો, ભાઈઓ અને યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી આ મહોત્સવને યાદગાર બનાવવામાં આવ્યો, પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ મંદિર પરિસરમાં ભવાઈના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આખા કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી સમગ્ર કારોડા બ્રહ્મભટ્ટ સમાજને સાથે રાખી પ્રસંગ ને રંગેચંગે ભવ્ય રીતે ઉજવવામાં ખૂબ જ જહેમત અને મહેનત કરી સફળ બનાવનાર ભાઈ શ્રી કિશનભાઈ બ્રહ્મભટ્ટ તથા ગૌરવભાઈ બ્રહ્મભટ્ટનું સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.