સંખેડા ગ્રામ પંચાયત દ્વારા ખરાબાની જગ્યામાં આવેલ નીલગિરીની મામલતદારની અધ્યક્ષતામાં હરાજી કરવામાં આવી
નીલગરીની હરાજી કરવાનું સ્થળ સંખેડા લીઝ પર રાખવામાં આવ્યું હતું જેમાં સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ તેમજ ડેપ્યુટી સરપંચ અને મામલતદાર પટેલ સાહેબ તેમજ નાયબ મામલતદાર અને ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં હરાજી કરવામાં આવી હતી.
કમલેશ પટેલ.સંખેડા : સંખેડા વિસ્તાર નાગરિકો તેમજ વેપારી મંડળ તેમજ આજુબાજુના વિસ્તારના હરાજીમાં ભાગ લીધેલ 57 જેટલા વેપારીઓએ ડિપોઝિટ ભરી હતી અને મામલતદાર પટેલ સાહેબ તેમજ સરપંચ નીતિનભાઈ શાહ અને અધિકારીઓની સામે હરાજી બોલવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી એક પછી એક ઊંચી કિંમત બોલાતા જેમાં એક વેપારી દ્વારા નીલગરીની કિંમત ૩૨ લાખ 26 હજારની મતબલ રકમ સૌથી વધુ બોલી સંખેડા પંચાયત પાસેથી નીલગીરીની મંજુરી મેળવી હતી અને સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ દ્વારા જણાવ્યું હતું કે આ આવેલ રકમ પંચાયતના વિકાસના કામ અર્થે ઉપયોગ કરશે તેમ જણાવ્યું હતું. અને સારી કિંમત આપવા બદલ સરપંચ દ્વારા વેપારી નો આભાર વ્યક્ત.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી