દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS વિભાગની શિબિર ઝરણાવાડી ગામે યોજાઈ
દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા તારીખ ૨૭મી જાન્યુઆરીથી ૦૨જી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન કુલ ૦૭ દિવસની વાર્ષિક શિબિર યોજાઈ હતી.
રાજપીપલા: દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા તારીખ ૨૭મી જાન્યુઆરીથી ૦૨જી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન કુલ ૦૭ દિવસની વાર્ષિક શિબિર યોજાઈ હતી. કોલેજના આચાર્યા ડૉ. અનિલાબેન પટેલની આગેવાનીમાં એન. એસ. એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવા દ્વારા દેડીયાપાડા તાલુકાના ઝરણાવાડી ગામે આ વાર્ષિક શિબિર યોજાઈ હતી. જેમાં કુલ ૫૦ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શિબિરના સાત દિવસ દરમ્યાન એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા ઝરણાવાડી ગામમાં લોક જાગૃતિ માટે રેલી, શેરી નાટક, લોક સંપર્ક, ગામનો સર્વે જેવા વિવિધ માધ્યમો થકી કાર્યક્રમો યોજ્યા હતા. ગામની પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા જાહેર રસ્તાઓની સાફ સફાઈ હાથ ધરી ભારત સરકાર દ્વારા ચાલતા સ્વછતા અભિયાનમાં ભાગીદારી નોંધાવી હતી. આ શિબિર દરમિયાન એન.એસ.એસ.ના સ્વયંસેવકોના વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ બૌદ્ધિક વ્યાખ્યાન, સેમિનાર અને સમૂહ જીવન જીવતા કેળવાય તે માટે સમૂહ કાર્યનું પણ આયોજન કરાયું હતું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.