દેશને ફેમિલી ડૉક્ટરની નહીં, ફેમિલી ફાર્મરની જરૂર છે : આચાર્ય દેવવ્રતજી
ગામનો રૂપિયો ગામમાં રહે અને શહેરનો રૂપિયો પણ ગામમાં આવશે ત્યારે ખેડૂત સમૃદ્ધ બનશે અને તે પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગામનો ગામનો રૂપિયો ગામમાં રહે અને શહેરનો રૂપિયો પણ ગામમાં આવશે ત્યારે ખેડૂત સમૃદ્ધ બનશે, અને તે પ્રાકૃતિક ખેતીથી સંભવ બનશે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતીએ ભારતની ધરતીને ઉજ્જડ બનાવી દીધી છે. આપણા દેશમાં આગામી દશ વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે. ઘરે-ઘરે બીપી-ડાયબીટીસના દર્દીઓ થઈ ગયા છે, માટે આપણે રાસાયણિક અને જૈવિક ખેતીની જગ્યાએ પ્રાકૃતિક કૃષિ અપનાવાની તાતી જરૂરીયાત છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પર ચાલી રહેલી બે-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠિના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ રાજસ્થાનના પૂર્વ કેબિનેટ મંત્રી દેવી સિંહ ભાટી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટિમ્બડીયા ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ ડૉ.અરુણ કુમારે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રસાયણિક ખેતીની ગંભીરતાને જોતાં પ્રાકૃતિક ખેતીની દિશામાં પગલાં લેવા માટે સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અરુણ કુમારને અભિનંદન આપ્યા. તેમણે યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનું ટ્રેનિંગ સેન્ટર બનાવવા માટે અનુરોધ કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને 'રાષ્ટ્રીય મિશન' બનાવી દીધું છે. તેમણે કહ્યું કે 60 વર્ષ પહેલા દેશમાં ભૂખમરાની પરિસ્થિતિ હતી ત્યારે કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથને હરિત ક્રાંતિ લાવી, જે સમયની જરૂર હતી. હવે આપણે આત્મનિર્ભર થઈ ગયા છીએ. પરંતુ હવે હરિત ક્રાંતિના નામ પર રસાયણિક ખાતરનો અંધાધૂંધ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને રોકવાની જરૂર છે. આજના સમયમાં હવા, પાણી, જમીન અને લોકોના સ્વાસ્થ્યને બચાવવાની જરૂર છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.