વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઇન્દરમા ગામના વંચિત લાભાર્થીઓ સુધી પહોંચી
નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તિલકવાડા તાલુકાના ઇન્દરમા ગામે પહોંચી હતી. ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનો ઉષ્માભેર આવકાર કરીને આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તિલકવાડા તાલુકાના ઇન્દરમા ગામે પહોંચી હતી. ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનો ઉષ્માભેર આવકાર કરીને આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની
શોર્ટફિલ્મ નિહાળી હતી. ઉપરાંત, ગ્રામજનોએ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સામુહિક શપથ લીધા હતા.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી ગ્રામજનોને આપતા જણાવ્યું કે, સરકારે છેવાડાના માનવીના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. ગ્રામજનોએ પણ વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓની
માહિતી પહોંચાડવાના સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે. ગામનો પ્રત્યેક નાગરિક સરકારી યોજનાઓ અંગે જાગૃત હશે તો વિકસિત ભારતનું લક્ષ્ય દૂર નથી.
કાર્યક્રમ આગળના ચરણમાં પહોંચતા પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ માતૃવંદના યોજના, આયુષ્માન ભારત યોજના, પૂર્ણાશક્તિ યોજના તેમજ પીએમ આવાસ યોજનાના સ્થાનિક લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત યોજનાકીય લાભોથી પોતાના જીવનમાં મહેસુસ કરેલા બદલાવ અંગેના પ્રતિભાવોને ગ્રામજનો સમક્ષ વર્ણવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રેમજી ભીલ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, આરોગ્ય ક્ષેત્રે ગામે હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ સરપંચશ્રીને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામજનોએ આંગણવાડી, આરોગ્ય અને પશુપાલન વિભાગ દ્વારા આયોજિત નિઃશુલ્ક કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને પરંપરાગત માધ્યમો ધરતી કરે પુકાર કે થીમ આધારિત નુકકડ થકી પણ સરકારી યોજનાઓની માહિતી અને પ્રાકૃતિક ખેતીને અપનાવવા પ્રેરિત કરાયા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી શ્રધ્ધાબેન બારીયા, સ્થાનિક અગ્રણીશ્રીઓ,
સરપંચશ્રી વિકેશભાઈ ભીલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી અતુલભાઈ રાઠવા, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.