સાવરકુંડલાના બાયપાસ નજીક 5 કરોડના ખર્ચે અમૃત સરોવરનું સ્વપ્ન થશે સાકાર
સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ અમૃત સરોવરનું કર્યું ખાત મુહર્ત.
સાવરકુંડલા શહેરમાં હરવા ફરવા લાયક એકમાત્ર જાહેર જનતા બાગ સિવાય કશું ના હોવાથી સાવરકુંડલા માં આવતા મહેમાનો અને સાવરકુંડલા વાસીઓને વાર તહેવારે કે રવિવારે ક્યા જવું તેની મુશ્કેલીઓનો અંત ટુંક સમયમાં આવશે કેમ કે નિષ્ઠાવાન ધારાસભ્ય મહેશ કસવાળાની શહેરીજનો પ્રત્યેની લાગણીઓ અને વિકાસ તરફની રાજ્ય સરકારની સંવેદનશીલતાને લઈને સાવરકુંડલા મહુવા બાયપાસ ખાતે આવેલ પ્રખ્યાત આકાશી મેલડી મંદિર અને લીલાપીર નજીક નો ભેસાણ ડેમ સાઈટ પર 5 કરોડના ખર્ચે અમૃત સરોવર બનાવવાના આજે અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે ખાત મહૂર્ત કરવામાં આવેલ હતું.
સાવરકુંડલા શહેરને નવું નજરાણું મળી રહે અને અમરેલી જિલ્લા માંથી અમૃત સરોવર નિહાળવા લોકો આવે તેવું અદભુત અમૃત સરોવર 5 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું હોય જેના ખાત મુર્હૂત પ્રસંગે જ સાંસદ સુતરીયા અને ધારાસભ્ય કસવાળાએ વધુ એક વિકાસની ભેટ સાવરકુંડલા શહેર તાલુકાની જનતા માટે આપી હોવાની પ્રતીતિ શહેરીજનો કરી રહ્યા હતા ને ખાત મુહર્ત પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકા હોદ્દેદારશ્રીઓ, ચેરમેનશ્રીઓ, સદસ્યોશ્રી, જિલ્લા ભાજપ હોદ્દેદારશ્રીઓ, શહેર ભાજપ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, સદસ્યશ્રી સાવરકુંડલાના પ્રતિષ્ઠિત મુખ્ય આગેવાનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. તેવું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ
જે.પી.હીરપરાએ જણાવ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.