રાજપીપલા-પોઈચાની વધારાની એસટી બસોની ટ્રીપો શરૂ થતાં વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થશે
ટુંક સમય પહેલા પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલ બાદ ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરાઇ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તાજેતરમાં સ્થાનિક વર્તમાનપત્રોમાં પોઈચાથી રાજપીપલા તરફ આવતી એસ.ટી. બસોને રોકી આંદોલન કરવા તથા નિયમિત એસટી બસની સુવિધા વિષે પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલ અંગે ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, સવારે ૦૯:૧૫ થી ૦૯:૪૦ તથા સાંજે ૧૭:૧૫ થી ૧૭:૪૦ ની રાજપીપલા-પોઈચાની વધારાની ટ્રીપો શરૂ કરેલ છે તેમજ ડેપો મેનેજર રાજપીપલા ધ્વારા વડોદરા-કીર્તિ તરફ સંચાલિત થતી તમામ ટ્રીપોના ડ્રાયવર/કંડકટરોને તમામ સ્ટેન્ડ પરથી વિદ્યાર્થીઓ લેવા તેમજ ઉતારવા સખ્ત સુચનાઓ આપેલ છે.
સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે કે,હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોવાથી રોડ રસ્તાની પરિસ્થિતિના અભાવે વાહનો ગંતવ્ય સ્થળે પહોચતા લેટ પડે છે. તેમ ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક એ જણાવ્યું છે.
રાજ્યમાં 24000 થી વધુ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. આ માહિતી ગુજરાત સરકારના મંત્રીએ આપી છે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.