રાજપીપલા-પોઈચાની વધારાની એસટી બસોની ટ્રીપો શરૂ થતાં વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થશે
ટુંક સમય પહેલા પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલ બાદ ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરાઇ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તાજેતરમાં સ્થાનિક વર્તમાનપત્રોમાં પોઈચાથી રાજપીપલા તરફ આવતી એસ.ટી. બસોને રોકી આંદોલન કરવા તથા નિયમિત એસટી બસની સુવિધા વિષે પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલ અંગે ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, સવારે ૦૯:૧૫ થી ૦૯:૪૦ તથા સાંજે ૧૭:૧૫ થી ૧૭:૪૦ ની રાજપીપલા-પોઈચાની વધારાની ટ્રીપો શરૂ કરેલ છે તેમજ ડેપો મેનેજર રાજપીપલા ધ્વારા વડોદરા-કીર્તિ તરફ સંચાલિત થતી તમામ ટ્રીપોના ડ્રાયવર/કંડકટરોને તમામ સ્ટેન્ડ પરથી વિદ્યાર્થીઓ લેવા તેમજ ઉતારવા સખ્ત સુચનાઓ આપેલ છે.
સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે કે,હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોવાથી રોડ રસ્તાની પરિસ્થિતિના અભાવે વાહનો ગંતવ્ય સ્થળે પહોચતા લેટ પડે છે. તેમ ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક એ જણાવ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.