રાજપીપળા સિંધિવાડ વિસ્તારમાં ડેન્ગ્યુ નાં બે પોઝીટીવ કેસ નિકળતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
એક મહિલા અને એક યુવાન નો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિકોમાં તંત્રની લુલી કામગીરીથી રોષ, રાજપીપળા શહેરમાં ધીમી ગતિએ પગ પેસારો કરતા ડેન્ગ્યુને નાથવા આરોગ્ય વિભાગ આખા શહેરમાં ટીમો ઉતારી કામગીરી કરાવે તેવી માંગ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં ધીમી ગતું એ ડેન્ગ્યુ પગ પેસારો કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે જેમાં ખાસ કરીને હાલમાં રાજપીપળાનાં સિંધિવાડ વિસ્તારમાં બે કેસ સામે આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થતી નથી તેમ સ્થાનિકો એ રોષ ઠાલવતા જણાવ્યું હતું ડેન્ગ્યુનાં આ બે કેસમાં એક મહિલા અને એક યુવાનનો સમાવેશ થાય છે ત્યારે ડેન્ગ્યુએ અત્યારસુધી કેટલા વિસ્તાર માં પગ પેસારો કર્યો છે અને કેટલા લોકોને ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યા છે એ આંકડો આરોગ્ય વિભાગનાં સર્વે બાદ બહાર આવશે પરંતુ હાલમાં આ બે કેસ નિકળતાં આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ડેન્ગ્યુ અને મેલેરિયા એ રાજપીપળા શહેરમાં ધીમી ગતિએ પગ પેસારો કર્યા બાદ અચાનક કેસો વધી ગયા હતા જેમાં કેટલાક દર્દીઓની હાલત ગંભીર થઈ હતી જ્યારે અમુકના મોત પણ થયા હતા જોકે અર્બનની ટીમોએ એ સમયે ખુબ સારી કામગીરી કરી હતી પરંતુ ડેન્ગ્યુનાં કેસમાં પોતે જ સલામતી રાખવી જરૂરી છે કેમ કે ઘરમાં કે આસપાસ સંગ્રહ કરેલ પાણી ખુલ્લું રખાઈ તો અંદર ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ થતો હોય અને આ મચ્છર કરડેતો ડેન્ગ્યુ થતો હોય છે માટે આવી ઘટનાનું પુરનાવર્તન નાં થાય તે માટે તંત્ર ઝડપી કામગીરી કરે અને લોકો પણ આ મુદ્દે સલામતી રાખે એ જરૂરી છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.