કોઠંબા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થનાર યુવતીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સાણંદ ખાતેથી શોધીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી.
ચોક્કસ મળેલી માહિતીના આધારે સ્ટાફના માણસો દ્વારા વાતમી વાળા સ્થળે તપાસ કરતો જાણવાજોગના કામે ગુમ થનાર યુવતી મળી આવવા પામી હતી.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ વડા આરવી અન્સારી તથા મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા એ ગુમ થનાર અને અપહરણ થયેલા બાળકો તથા વ્યક્તિઓને શોધવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હતું જે બાબતે મહિસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખોટ નાઓની માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.
ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખોટની બાતમી મળેલી હતી કે કોઠંબા પોલીસ મથકના ગુમ થનાર મનિષાબેન પોપટભાઈ પટેલિયા રહેવાસી નમનાર (ટોડીયા), તાલુકો લુણાવાડા, જીલ્લો મહીસાગર જેવો હાલ અમદાવાદ જિલ્લાના સાણંદ મુકામે રહીને મજૂરી કામ કરી રહ્યા છે તેવી ચોક્કસ મળેલી માહિતીના આધારે સ્ટાફના માણસો દ્વારા વાતમી વાળા સ્થળે તપાસ કરતો જાણવાજોગના કામે ગુમ થનાર યુવતી મળી આવવા પામી હતી જેની અત્રેથી લાવી આગળની કાર્યવાહી કરવા માટે કોઠંબા પોલીસ મથકે સોંપવામાં આવી છે.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.