ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ લીધો સંન્યાસ, લાંબા સમયથી તક મળી રહી ન હતી
ચાહકોને ચોંકાવી દેતા ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેને લાંબા સમયથી ભારતીય ટીમમાં તક મળી રહી ન હતી.
ભારતીય ટીમ અત્યારે ODI વર્લ્ડ કપ રમી રહી છે. જ્યાં ટીમ ઈન્ડિયા ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. તેણે સેમીફાઈનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. આ ખેલાડી લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો ન હતો. હવે આ ખેલાડીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ગુરકીરત સિંહ માન છે. આ જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને આપી છે.
2016ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત માટે ત્રણ ODI મેચ રમનાર ગુરકીરત સિંહ માનએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય અને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારત માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉપરાંત ગુરકીરતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચોમાં ઓફ સ્પિનર તરીકે 10 ઓવર પણ ફેંકી હતી. પંજાબની ટીમની અંદર અને બહાર હોવાને કારણે અને 2020થી આઈપીએલમાં ન રમી શકવાના કારણે ગુરકીરતે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.
ગુરકીરતે તેની નિવૃત્તિ વિશે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આજે મારી અવિસ્મરણીય ક્રિકેટ સફરનો છેલ્લો દિવસ છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક સન્માન અને વિશેષાધિકાર રહ્યો છે. મને સપોર્ટ કરવા બદલ હું મારા પરિવાર, મિત્રો, કોચ અને સાથી ખેલાડીઓનો આભાર વ્યક્ત કરું છું. તમે બધાએ મારી કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગુરકીરતે વર્ષ 2011માં રમાયેલી સીકે નાયડુ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જે બાદ લોકોનું ધ્યાન તેની તરફ ગયું. આ પછી ગુરકીરતે રણજી ટ્રોફી 2015-16માં જોરદાર પ્રદર્શન કર્યું અને તે દરમિયાન તેણે બેવડી સદી પણ ફટકારી.
વનડેમાં ડેબ્યુ કરતા પહેલા તેને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી હોમ ટેસ્ટ સિરીઝ માટે ટેસ્ટ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે તેને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. IPLમાં, તે પંજાબ કિંગ્સ, દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો છે. ગુરકીરત વર્ષ 2022માં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો, જોકે તેને કેપ્ટન હાર્દિક પંડ્યા દ્વારા એક પણ મેચ રમવાની તક આપવામાં આવી ન હતી. આઈપીએલમાં તેના પ્રદર્શન પર એક નજર કરીએ તો તેણે 41 મેચમાં 121ના સ્ટ્રાઈક રેટથી 511 રન બનાવ્યા છે. ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ગુરકીરત હવે વિદેશી ટી20 લીગમાં પોતાનું નસીબ અજમાવી શકે છે.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં PCBને રૂ. 869 કરોડનું નુકસાન થયું છે. મેચ ફીમાં ઘટાડો, 5 સ્ટાર હોટેલો બંધ. સંપૂર્ણ નાણાકીય કટોકટી જાણો!
IPL 2025 પહેલા, દિલ્હી કેપિટલ્સ ટીમે તેના નવા ઉપ-સુકાનીની જાહેરાત કરી છે. દિલ્હી ટીમે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી આપી છે.