મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન તથા મામલતદાર કચેરી દ્વારા ગામે ગામ જઈને નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા અંગે અપાઈ રહેલી સમજ
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને હાલમાં નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શ હેઠળ EVM નિદર્શન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે આ EVM નિદર્શન વાન નર્મદા જિલ્લાના ગામોમાં ફરી રહી છે.
રાજપીપલા: આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને હાલમાં નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શ હેઠળ EVM નિદર્શન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે આ EVM નિદર્શન વાન નર્મદા જિલ્લાના ગામોમાં ફરી રહી છે.
જિલ્લા સેવાસદન સહિત મામલતદારશ્રીની કચેરી ખાતે તથા ગ્રામીણ વિસ્તારોમાં જઈને ટીમો દ્વારા મતદાન અંગેનો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.
ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી થકી નાગરિકોને મતદાનની પ્રક્રિયા અંગેની વિસ્તૃતમાં જાણકારી ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ દ્વારા આપવામાં આવી રહી છે. નાગરિકો દ્વારા આ અભિયાનને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.