પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ લંબાવવામાં આવી
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે, વિશેષ ભાડા પર ચાર જોડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે, વિશેષ ભાડા પર ચાર જોડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 04 સપ્ટેમ્બરથી 15 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 03 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 03 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 02 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 05 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.એ જ રીતે ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 04 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 02 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.એ જ રીતે ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 01 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 01920, 01906, 04166 અને 04168 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 31 ઓગસ્ટ, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ છે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
વર્ષ ૨૦૨૫-૨૬ માટે https://e-kutir.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાથી મળશે યોજનાનો લાભ.
આ આયોજન મુખ્ય તબીબી અધિક્ષક શ્રીમતી ડો. ભાનુમતિ શેખરના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં મંડળ ના વિભિન્ન ભાગોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા માટે અનેક પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી.
એપ્રીલ ૨૦૧૪ થી કાર્યરત નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી ઝુપડપટ્ટીના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરી રહેલ છે. મેંગોપીપલ પરીવાર દ્વારા દરરોજ ઝુપડપટ્ટીમાં અંદર જઈને બાળકોને નિઃશુલ્ક અક્ષરજ્ઞાન આપવામાં આવે છે.